દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. ગુરૂવારે બપોર સુધીમાં દેશમાં આ મહામારી પીડિત લોકોની સંખ્યા 650ને પાર થઇ ચૂકી છે. આ તમામ બાબતો વચ્ચે ભારત સરકારે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે.
વિશ્વમાં કોરોનાનો કહેર
ભારતમાં લોકડાઉનનો સમયગાળો વધવાના એંધાણ
મોદી સરકારે તૈયારીઓ કરી શરૂ
આ લોકડાઉનના બીજા દિવસે જ મોદી સરકારે એક રાહત પેકેજનું એલાન કર્યું છે પરંતુ જે રીતે દરેક યોજનાને આગામી 3 મહિના માટે તૈયાર કરવામાં આવી છે ત્યારે સંભાવનાઓ એવી પણ દેખાઇ રહી છે કે શું લોકડાઉનનું સંકટ 21 દિવસ બાદ પણ મોટું થવાનું છે.
સરકારે રાહત પેકેજની કરી જાહેરાત
કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પેકેજ લોકડાઉનને કારણે પ્રભાવિત થયેલા ગરોબોની રાહત માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના સંકટમાં ફરજ પર હાજર 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે. તેમ જ ખેડૂતો અને EPF ધારકો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
શું 21 દિવસથી પણ વધુ ચાલશે લોકડાઉન ?
પ્રધાનમંત્રી મોદીએ જ્યારે કોરોના વાયરસની મહામારી મામલે દેશને સંબોધન કર્યું હતું ત્યારે તેમણે દેશવાસીઓ પાસે 2-3 અઠવાડિયાનો સમય માગ્યો હતો. ત્યારબાદ પહેલા એક દિવસનો જનતા કરફ્યું લગાવવામાં આવ્યો પરંતુ 24 માર્ચના રોજ 21 દિવસ માટે મહાકર્ફ્યુની જાહેરાત કરવામાં આવી. એટલે કે, લોકોએ 14 એપ્રિલ સુધી પોતોના ઘરમાં જ રહેવું પડશે.
પરંતુ હવે જે રીતે 3 મહિના સુધી રાહતનું એલાન કરવામાં આવી રહ્યું છે એવામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે સરકાર આગળની તૈયારીઓને લઇને આગળની તૈયારીઓને લઇને આગળ વધી રહી છે. જો કે, કેન્દ્ર સરકારે હજી આ અંગે કોઇ જ સ્પષ્ટતા કરી નથી. સવાલ એ ઉઠી રહ્યા છે કે, જો કોરોના વાયરસની સ્થિતિ ન સુધરે તો શઉં લોકડાઉન 21 દિવસથી વધારીને એપ્રિલ-મે અને જૂન સુધી કરવામાં આવી શકે છે.
શું કહે છે WHO?
પરંતુ જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આપવામાં આવેલ કેટલાક નિવેદનો પર નજર કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે તે જરૂરી નથી કે લોકડાઉનથી જ કોરોના વાયરસનો ખતરો ખત્મ થઇ જાય, તેના માટે તે દર્દીઓની તપાસ કરવી અને ઇલાજ કરવો જરૂરી છે જે પીડિત છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વારન્ટાઇન કરવાની જરૂર પડશે.
દૂનિયાના અન્ય દેશોમાં લોકડાઉનની શું છે અસર ?
ભારત પહેલા કોરોના વાયરસ દુનિયાના કેટલાય દેશોમાં ભયાનક રૂપ બતાવી ચૂક્યો છે. ચીન, સ્પેન, ઇરાન, ઇટલી અને અમેરિકા અત્યાર સુધીની સૌથી ભયાનક બીમારીનો સામનો કરી રહ્યા છે. ભારતની પહેલા આ દેશોએ પણ પોતાને ત્યાં લોકડાઉનનું એલાન કર્યુ હતું જેની ઘણી સારી અસર જોવા મળી હતી.
જો કે, ઇટલીની વાત કરીએ તો ત્યાં કોરોના વાયરસનું ચોથું સ્ટેજ ચાલી રહ્યું છે. ઇટલીએ 4 માર્ચથી તમામ સ્કૂલ બંધ કરી છે. 9 માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી. પરંતુ જ્યારે હવે ત્યાં 2 અઠવાડિયાથી વધુ લોકડાઉનને થયું તેમ છતાં કોરોનાના ખતરામાં કોઇ જ ઘટાડો થયો નહીં. નોંધનીય છે કે, કોરોનાને કારણે ઇટલીમાં દરરોજના 600થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે.
અમેરિકામાં કોરોનાએ ભરડો લીધો
ઇટલીની જેમ જ અમેરિકાએ પણ પોતાના દેશમાં નેશનલ ઇમરજન્સી જાહેર કરી અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી. પરંતુ છેલ્લા 2 અઠવાડિયાથી અમેરિકામાં કોરોના વાયરસે ભયાનક રૂપ લીધું છે અને ત્યાં પોઝિટિવ કેસની સંખ્યા 67 હજારને પાર પહોંચી ચૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, દુનિયા પર કોરોના વાયરસની અસર ઓગસ્ટ સુધી ફેલાઇ શકે છે.