પીએમ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન મુદ્દે વીડિયો કોન્ફરન્સથી વાત કરી છે. બેઠકમાં કોરોના અને લૉકડાઉનને લઈને થઈ વાતચીત થઈ છે. PM મોદીની સાથેની વાતચીતમાં કુલ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન યથાવત રાખવા કહ્યું છે. હવે પછી PM મોદી લૉકડાઉનને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પૂર્ણ
લૉકડાઉનની સમય સીમાને લઈને કરાઈ ચર્ચા
10 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવા કરી અપીલ
10 રાજ્યોના CMએ લોકડાઉન વધારવાની માંગ કરી
PM મોદીએ દેશના તમામ રાજ્યોના CM સાથે આજે ત્રીજી વાર વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી છે. લૉકડાઉનને લઈને થયેલી ચર્ચામાં કુલ 10 રાજ્યોના સીએમએ લૉકડાઉનને વધારવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સા અને પંજાબે પહેલાથી લોકડાઉન વધારી દીધું છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કોરોનાનું સંક્રમણ હજુ પણ વધશે. હાલમાં પણ જેટલા ટેસ્ટ થવા જોઈએ તેટલા થયા નથી. પૂરતી સુવિધાઓના અભાવે ત્રિપુરામાં આવશ્યક સેવા પ્રબંધન નિયમ (એસ્મા)લાગૂ કરાયો છે. આ સમયે પોલીસ પાસે પણ વોરંટ વિના કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર છે.
CM Capt Amarinder Singh, in PM's video-conferencing with CMs, recommended extension of national lockdown by at least a fortnight in addition to special concessions for industry & agriculture sectors urgently. He also asked for faster supply of rapid testing kits: CMO Punjab pic.twitter.com/uxrzbeV1qT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધી લૉકડાઉન વધારવા કરી અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે લૉકડાઉન દરમિયાન ટ્રાન્સપોર્ટ પણ ચાલુ કરવામાં ન આવે. લૉકડાઉનનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે તે જરૂરી છે.
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने प्रधानमंत्री नरेंद्र मोदी की मुख्यमंत्रियों के साथ की वीडियो कांफ्रेंस में प्रधानमंत्री को सुझाव दिया कि देश में लॉकडाउन को 30 अप्रैल तक बढ़ा देना चाहिए। (फाइल फोटो) #coronaviruspic.twitter.com/hJ5ErzjGMi
આરોગ્ય અને ફોર્સ ટીમની સાથે બફર ક્વૉરન્ટાઈન વિસ્તારની સ્થિતિને લઈને ચર્ચા કરી છે. આ બેઠક બાદ નક્કી કરાશે કે લૉકડાઉન લંબાવવું કે નહીં. જો કે મોટા ભાગના રાજ્યો અગાઉથી જ લૉકડાઉન લંબાવવાની તરફેણ કરી છે. જેમાં ઓરિસ્સા અને પંજાબ તો પહેલેથી જ લૉકડાઉન લંબાવી ચૂક્યાં છે.
મોટાભાગના રાજ્યો લૉકડાઉન વધારવાની તરફેણમાં
144 કલમને ચાલુ રાખીને કેટલાક રાજ્યોમાં પણ લૉકડાઉન લંબાવવાને લઈને કે છૂટ આપવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.
રેલવેએ પણ આપ્યા ખાસ સંકેત
રેલવે વિભાગે કહ્યું છે કે 15 એપ્રિલ બાદ હાલમાં રેલવે શરૂ કરવામાં આવે તેવા કોઈ સંકેત મળ્યા નથી.
WHOની માર્ગદર્શિકામાં પણ લૉકડાઉનના ઉલ્લેખને વર્ણવવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે લૉકડાઉન જ કોરોનાથી લડવાનો ઉપાય છે. પીએમ મોદી હાલમાં મહત્વના મુદ્દાઓને નોટ ડાઉન થઈ રહ્યા છે અને સાથે જ તેની પર ચર્ચા કરી છે.
Delhi: Prime Minister Narendra Modi seen wearing a mask during video-conferencing with the Chief Ministers over #COVID19. Other CMs are also using masks. pic.twitter.com/N6Qfjq9xjy
PM મોદીની રાજ્યના મુખ્યમંત્રીઓની સાથેની બેઠક થઈ શરૂ, લૉકડાઉન લંબાવવાને લઈને થશે ચર્ચા
PM મોદી આજે રાત્રે દેશવાસીઓને સંબોધી શકે છે. આજે લૉકડાઉનને લઇને PM મોદી મોટી જાહેરાત કરી શકે છે. તમામ રાજ્યોની CM સાથે પીએમ મોદી ચર્ચા કરી રહ્યા છે. 21 દિવસ પછી લૉકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી છે ચર્ચા.
મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં લૉકડાઉનની સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે લૉકડાઉન અંગે વધુ ચર્ચા થઈ છે. જેને લઈને નિર્ણય હજુ સુધી લેવાયો નથી, જો કે, આ બેઠક પહેલાં જ ઓરિસ્સામાં 30 એપ્રિલ અને પંજાબમાં 1 મે સુધી લૉકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર પીએમ મોદી આ ચર્ચા બાદ લૉકડાઉનની સમય મર્યાદાને લઈને નિર્ણય લેશે અને શક્ય છે કે તેઓ આજે રાતે રાષ્ટ્રજોગ સંબોધન પણ કરે. આ સંબોધનમાં તેઓ લૉકડાઉનની તારીખ લંબાવવાની સાથે સાથે અન્ય કેટલાક ફેરફારની પણ જાહેરાત કરી શકે છે.
આ રાજ્યો કરી છે લૉકડાઉન લંબાવવાની ભલામણ
આ પહેલાં તેલંગાણા, યૂપી, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પત્ર લખીને PM મોદીને જણાવ્યું છે કે લૉકડાઉનનો સમય વધારવામાં આવે. જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય.