નાઈટ કર્ફયૂ ખાલી કાગળ પરનો વાઘ છે. ચૂંટણી ટાણે કાર્યાલયો તો ધમધમે છે.
રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી પણ લોકોની ભીડ
ચૂંટણી માટે આ અઠવાડિયું કતલની રાત
રાત્રી કર્ફ્યૂની કોઈ અસર નહીં
તંત્ર એટલી હદે ઓવરકોન્ફિડન્સમાં આવી ગયું છે કે તેઓ એવું માની બેઠા છે કે કોરોના જતો રહ્યો છે, જેને જોઇને લોકો પણ એવું સમજી બેઠા છે કે કોરોના વાઇરસે વિદાય લીધી છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ઠેરઠેર ધજાગરા ઊડી રહ્યા છે. તંત્ર તેમજ લોકોની આ માન્યતા આવનારા દિવસોમાં મુસીબત નોતરી શકે છે, કારણ કે ડોક્ટરો એમ કહી રહ્યા છે કે માર્ચ મહિનામાં ફરી કોરોના વાઇરસ વકરી શકે છે. આજે શહેરમાં નાઇટ કરફ્યુ રાખવો કે તેને હટાવી દેવો તેનો નિર્ણય પોલીસ કિમશનર દ્વારા કરવામાં આવશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે નાઇટ કરફ્યુનો મતલબ શું છે કે જ્યારે તેનો કોઇ અમલ કરાવવામાં આવતો જ નથી.
ચૂંટણી માટે આ અઠવાડિયું કતલની રાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આ અઠવાડિયું કતલની રાત બરાબર છે જ્યારે થોડા દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ચૂંટણી અને મેચ આ બંને ઇવેન્ટ કોરોના વાઇરસના કેસમાં ફરી ધરખમ વધારો કરી શકે તેવી શક્યતા છે, કારણ કે તંત્ર અને લોકોને તેની ગંભીરતાની ખબર જ નથી. દિવાળી પહેલાં કોરોના વાઇરસના કેસ એકદમ ઘટી ગયા હતા, પરંતુ દિવાળી બાદ કોરોના વાઇરસના કેસ એકદમ વધી ગયા હતા, જેને કંટ્રોલમાં લાવવા માટે તંત્રની આંખમાં પાણી આવી ગયું હતું અને નાઇટ કરફ્યુ લગાવી દીધો હતો.
રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી પણ લોકોની ભીડ
પહેલાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો નાઇટ કરફ્યુ લગાવી દીધો હતો, જોકે હવે રાતના ૧૧.૦૦ વાગ્યાથી સવારના ૬.૦૦ વાગ્યા સુધીનો કરફ્યુ છે. આજે રાજ્ય સરકાર આ નાઇટ કરફ્યુ યથાવત્ રાખવો કે તેને હટાવવો તે અંગેનો નિર્ણય લેશે. આમ જોવા જઇએ તો નાઈટ કરફ્યુનો આદેશ માત્ર કાગળ પર જ રહી ગયો છે. રાજ્યમાં છ મહાનગરપાલિકાઓ સહિતની ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મોડી રાત સુધી કાર્યાલયો ધમધમે છે. રાતના ૧૧.૦૦ વાગ્યે માત્ર નામ પૂરતાં આ કાર્યાલયો બંધ કરી દેવામાં આવે છે, પરંતુ આખી રાત સુધી લોકોનો ધસારો કાર્યાલયો પર રહે છે. ગઇ કાલે વેલેન્ટાઇન ડે હતો, જેમાં એસજી હાઇવે તેમજ સિંધુ ભવન રોડ પર રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી પણ લોકોની ભીડ હતી.
રાત્રી કર્ફ્યૂની કોઈ અસર નહીં
રાતના ૧૧.૦૦ વાગે એટલે માત્ર અડધા કલાક સુધી કામગીરી બતાવવા માટે પોલીસ કર્મચારીઓ રોડ પર સ્ટેન્ડ બાય થઇ જાય છે અને ત્યારબાદ ગુલાબી ઠંડીમાં પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનમાં જઇ આરામ ફરમાવે છે. મોડી રાતના ૧૨.૦૦ વાગ્યા પછી અમદાવાદના કોઇ પણ ખૂણામાં આરામથી હરી-ફરી શકો છો. કરફ્યુનો મતલબ મેડિકલ ઇમર્જન્સી વગર કોઇ પણ વ્યક્તિ બહાર નીકળે તો પોલીસ તેની ધરપકડ કરે. રાતનો કરફ્યુ છે છતાંય લોકો બિનધાસ્ત ફરે છે. આજે કરફ્યુ લંબાવવામાં આવે તો પણ કોઇને ફરક પડતો નથી, કારણ કે તે માત્ર નામનો છે. રાતના ૧૧.૦૦ વાગ્યા પછી પણ નાસ્તાની લારીઓ-પાનના ગલ્લા ચાલુ હોય છે, જ્યારે લોકોની અવરજવર પણ ચાલુ હોય છે.
CM રૂપાણી અને બે નેતા કોરોનાની ઝપેટમાં
CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. 24 કલાક માટે CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે. ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.