સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાજ ભરૂચ નર્મદા જિલ્લા BTP અને ભાજપ ના રાજકારણ માં ગરમાવો આવ્યો છે.
ધારાસભ્ય છોટુ વસાવાનો સાંસદ મનસુખ વસાવા પર પલટવાર
છોટુ વસાવાએ કહ્યું ભરૂચ-નર્મદાનું મોટુ દુ:ખ એટલે મનસુખ વસાવા
મોંઘવારી, બેરોજગારી, ઘટતા GDPને બદલે બીજા કામ કરી રહી છે સરકાર: છોટુ વસાવા
ભાજપ ના સાંસદ મનસુખ વસવા અને BTP ના છોટુવસાવા સામસામે આક્ષેપો પતિ આક્ષેપ કરી રહ્યા છે.
નર્મદા અને ભરૂચ નું એ દુઃખ છે એનું નામ જ મનસુખ છે
હાલ BTP એ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે ભાજપ ના સાંસદ મનસુખ વસાવા એ ઓવૈસી અને છોટુ વસાવાને ગાડાં છે કહી BTP પર પ્રહાર કર્યા હતા ત્યારે BTP ના છોટુ વસાવા એ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યા છોટુ વસાવા એ કહ્યું કે મનસુખજ એક દુઃખ છે. મનશુખ એ સુખ નથી નર્મદા અને ભરૂચ નું એ દુઃખ છે એનું નામ જ મનસુખ છે.
ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે બેરોજગારોની ભરતી નથી થતી
સાથે છોટુ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે બેરોજગારોની ભરતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી ત્યારે ખેડૂત આંદોલન પણ કહ્યું કે આજે કિશાનોના આંદોલનના 80 દિવસ થવા આવ્યા પણ ઉકેલ સરકાર લાવતી નથી.
નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે
છોટુ વસાવા એ નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા કે નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલન નો નિકાલ નહિ આવે તો રાજકારણમાં વિસ્પોટ થશે જે રીતે ભારતમાં જે કોંગ્રેસની હાલત થઇ છે. એજ હાલત ભાજપની પણ થવાની છે કારણ કે કોંગ્રેસનાજ બધાને ભાજપમાં લઇ લે છે કારણ કે ભાજપ માને છે કે કોઈ વિરોધ પક્ષ રહેવો ન જોઈએ તમે પણ આવો અને આપરે બધા ભેગા મળી આ દેશને લૂંટી લઈએ એવું દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે