જીવન વીમા નિગમ 'આમ આદમી વીમા યોજના' નામથી એક સામાજિક સુરક્ષા પૉલિસી ચલાવે છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા રોજમદારો માટે શરૂ કરવામાં આવી છે. આમ આદમી વીમા યોજના LIC દ્વારા સંચાલિત છે. ભારત સરકારના નામા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલી આ યોજનામાં વીમાના કવરેજ સાથે અનેક ફાયદા મળે છે.
કોણે મેળવી શકે :
આ યોજનાનો લાભ 18 વર્ષથી 59 વર્ષની ઉંમરના વ્યક્તિ લઈ શકે છે. વીમો લેનાર વ્યક્તિ પરિવારના વડા અથવા તો ઘરના કમાતા વ્યક્તિ હોવા જરૂરી છે. આ વીમો એવા વ્યક્તિ લઈ શકે છે જે ગરીબી રેખાની નીચે અથવા ઉપર શહેરમાં રહે છે પરંતુ તેમને પાસે શહેરી ઓળખ પત્ર નથી. આ વ્યક્તિ ગ્રામિમ અને જમીન વગરનો હોવો જરૂરી છે
આ દસ્તાવેજ જરૂરી :
આ વીમો લેવા માટે રાશન કાર્ડ, જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર, વોટર આઈડી કાર્ડ, સરકારી વિભાગ દ્વારા અપાયેલું કોઈ પણ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ અનિવાર્ય છે.
ફાયદો :
LICની વેબસાઈટ મુજબ આ વીમો 30,000 રૂપિયાનો છે. જેમાં વીમા ધારકનું મૃત્યુ થાય અથવા તો એક્સીડેન્ટ થાય અથવા તો વિક્લાંગતા આવે તો નૉમીનીને 75,000 રૂપિયા આપવામાં આવશે. આંશિક વિક્લાંગતા થાય તો વીમા ધારક અથવા વારસદારને 37,500 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ વીમા ધારકના બાળકો ધોરણ 9-12 દરમિયાન રૂપિયા 100 પ્રતિ બાળક સ્કૉલરશિપ આપવામાં આવશે.
પ્રિમિયમ :
આ યોજના અંતર્ગત રૂપિયા 30,000ના વીમાનું વાર્ષિક પ્રીમિયમ રૂપિયા 200 ચુકવવાનું રહેશે. સરકાર તરફથી પણ 50 % પ્રીમિયમની ચુકવણી કરવામાં આવશે.