મગફળીકાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત રાજ્યસરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકાર હાલમાં કૌભાંડીઓને બચાવવા મિશન ચલાવી રહી હોવાનો ગંભીર આરોપ વિપક્ષે સરકાર પર કર્યો છે.
ભ્રષ્ઠાચાર સામે આવતા કમિશન એક્ટ હેઠળ તપાસપંતની નિમણુંક કરી હોવાનો આરોપ પણ પરેશ ધાનાણીએ કર્યો છે. આ ઉપરાંત મગફળી કૌભાંડમાં ભાજપના કાર્યકરો તથા મોટા નેતાઓએ કમીશન લીધુ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો મગફળીકાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યસરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર હાલામાં કૌભાંડીઓને બચાવવા મિશન ચલાવી રહી છે.
આ ઉપરાંત ભ્રષ્ઠાચાર સામે આવતા કમિશન એક્ટ હેઠળ તપાસપંતની નિમણુંક કરી હોવાનો આરોપ પણ પરેશ ધાનાણીએ કર્યો છે. આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યું કે મગફળી કૌભાંડમાં ભાજપના કાર્યકરોએ કમીશન લીધુ છે.