ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોરોના રસી કોવેક્સિન પર દેશમાં કરવામાં આવેલી સ્ટડીની હવે વિદેશમાં પણ ખરાઈ કરાઈ છે.
કોવેક્સિન કોરોનાની વિરુદ્ધ 77.8 ટકા સુધી અસરકારક
ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી ફંડ કરવામાં આવ્યું હતુ
ડબ્લ્યૂએચઓની માન્યતા મળ્યા બાદ 96 દેશ આપી ચૂક્યા છે મંજૂરી
કોવેક્સિન કોરોનાની વિરુદ્ધ 77.8 ટકા સુધી અસરકારક
મેડિકલ જર્નલ લાન્સેટની હાલની સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોવેક્સિન કોરોનાની વિરુદ્ધ 77.8 ટકા સુધી અસરકારક છે. રસીનો આ પ્રભાવ તે લોકો પર જોવા મળ્યો છે જેમને સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે.
રસીના કારણે કોઈ ગંભીર ઘટના અથવા મોતના મામલા નહીં
લાસેન્ટની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિન જે ઈનેક્ટિવેટેડ વાયરસ ટેક્નિકલ એટલે કે અસક્રિય વાયરસને શરીરમાં મોકલી પ્રતિરોધક ક્ષમતાને સક્રિય કરવાની ટેક્નોલોજી પર કામ કરે છે. આના બન્ને ડોઝ લગાવ્યા બાદ માણસના શરીરમાં કોરોનાની વિરુદ્ધ જબરદસ્ત એન્ટીબોર્ડીઝ બને છે. લાન્સેટે કહ્યું છે કે ભારતમાં નવેમ્બરમાં 2020થી મે 2021 સુધી 18થી 19 વર્ષના 24 હજાર 419 લોકો પર કરવામાં આવેલા ટ્રાયલમાં રસીની અસરના કારણે કોઈ ગંભીર ઘટના અથવા મોતના મામલા સામે આવ્યા નથી.
ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી ફંડ કરવામાં આવ્યું હતુ
જેના કારણે અંતરિમ સ્ટડીમાં આ વાત સામે આવી છે. તેને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી ફંડ કરવામાં આવ્યું હતુ. સાથે બન્ને સંસ્થાનોના અધિકારીઓએ રસીની અસર પર રિપોર્ટ તૈયાર કર્યો. ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે પહેલા જ કોવેક્સિનને કોરોનાની રસી વિરુદ્ધ 77.8 ટકા સુધી અસરકારક ગણાવી હતી. જે બાદ ભારતમાં આના સુરક્ષાના માપદંડો પર થયેલા વિવાદો પર પૂર્ણ વિરામ લાગ્યુ હતુ.
ડબ્લ્યૂએચઓની માન્યતા મળ્યા બાદ 96 દેશ આપી ચૂક્યા છે મંજૂરી
કોરોનાની વિરુદ્ધ ભારતીય હથિયારોને ધીરે ધીરે દુનિયાના તમામ દેશ સ્વીકારવા લાગ્યા છે. ભારતમાં બનેલી કોવેક્સિન અને કોવિશીલ્ડ અત્યાર સુધીમાં દુનિયાના 96 દેશોએ માન્યતા આપી દીધી છે. આ બન્ને રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કર્યા છે. આ બાદ ભારતીય રસીને માન્યતા આપનાર દેશની સંખ્યા પણ તેજીથી વધી રહી છે.