ઉત્તરપ્રદેશનાં લખીમપૂર ખીરીમાં હિંસાના મુદ્દે ચંદીગઢમાં રાજભવન સામે વિરોધ કરવા બેસેલા સિદ્ધુ અને કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિદ્ધુ ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી ઘટનાના વિરોધમાં ચંદીગઢ રાજભવન સામે ધરણા પર બેઠા છે. પંજાબ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પંજાબ યુથ કોંગ્રેસ પ્રમુખ બરિન્દર ધીલ્લોન પણ તેમની સાથે હાજર છે. પોલીસે તમામની ધરપકડ કરી છે.
તેમના વિરોધનાં કારણો
1) હરિયાણાના મુખ્યમંત્રીના ઉશ્કેરણીજનક નિવેદન
2) કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ અને
3) ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં આંદોલનકારી ખેડૂતોની બર્બર હત્યાઓ સામે વિરોધ કરી રહ્યા છે.
ધરણાના નેતાઓ ખેડૂતોની હત્યા માટે કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.
पंजाब: कांग्रेस नेता नवजोत सिंह सिद्धू के नेतृत्व में पंजाब कांग्रेस ने चंडीगढ़ में लखीमपुर खीरी की घटना को लेकर विरोध प्रदर्शन किया। pic.twitter.com/xbflciuhQL
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં પીડિતોના પરિવારોને મળવાનું નક્કી કર્યું છે. આ માટે પંજાબ સરકારના નાગરિક ઉડ્ડયન નિયામકે ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય સચિવ અવિનાશકુમાર અવસ્થીને પત્ર લખીને મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને લખીમપુર ખાતે ઉતારવાની પરવાનગી માંગી હતી. આ સાથે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ચન્નીના આગમનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રને નિયમો અનુસાર વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી ચન્ની પીડિતોના પરિવારોને મળવા માગે છે.
સુનીલ જાખરે મનોહર લાલને જવાબદાર ગણાવ્યા
કોંગ્રેસના નેતા સુનીલ જાખરે લખીમપુર ઘેરીમાં થયેલા હંગામા માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલને જવાબદાર ઠેરવ્યા છે. જાખરે ટ્વિટ કર્યું હતું કે મનોહર લાલનું નિવેદન અને લખીમપુર ખીરી હિંસાને અલગ ઘટના તરીકે જોઇ શકાય નહીં. આશ્ચર્યની વાત એ છે કે, કેટલાક લોકો લોકપ્રિય નેતા બનવા માટે હરિયાણાના મુખ્યમંત્રીની સલાહને અનુસરી રહ્યા છે. આશા છે કે સુપ્રીમ કોર્ટ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લેશે.
અન્ય એક ટ્વિટમાં, જાખરે લખ્યું કે જેમ 3 ઓક્ટોબર, 1977 ના રોજ ઈન્દિરા ગાંધીની ધરપકડ ભાજપની બરબાદી સાબિત થઈ હતી, તેવી જ રીતે 3 ઓક્ટોબર, 2021 ના રોજ પ્રિયંકા ગાંધીની ધરપકડ ભાજપ સરકારના અંતની શરૂઆત દર્શાવે છે.
લખીમપુર ખીરી હિંસાનો ઘટનાક્રમ
લખીમપુર ખીરીમાં DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ હતો
2 ઓક્ટોબરે DyCM કેશવ પ્રસાદનો લખીમપુર જવાનો કાર્યક્રમ નક્કી હતો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનવીરપુરમાં દંગલ
પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતા
ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો
અજય મિશ્રાના બનવીરપુર ગામથી 4 કિલોમીટર દૂર મહારાજા અગ્રસેન ઇન્ટર
કોલેજમાં DyCMના હેલિકોપ્ટરનું હેલિપેડ બનાવાયું હતું
26 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધમાં અજય મિશ્રાએ વિવાદીત નિવેદન પણ આપ્યું
હતું
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ
ખેડૂતોમાં રોષ હતો
અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇ ખેડૂતો સવારના 6 વાગ્યાથી જ
હેલિપેડ પાસે એકઠા થઇ ગયા હતા
સવારના 8 વાગ્યા સુધી 5 હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને હાથમાં કાળો
ઝંડો લઇ હેલીપેડ પર કબજો કરી લીધો હતો
ખેડૂતોને પોલીસે સમજાવ્યા પરંતુ ખેડૂતો ન માન્યા
ખેડૂતોએ કહ્યું,''મંત્રીએ અમને પડકાર આપ્યો છે કે તેઓ અમને સુધારી દેશે''
ખેડૂતોએ કહ્યું,''અમે પણ જોવા માગીએ છીએ કે મંત્રી અમને કેવી રીતે સુધારશે''
ખેડૂતોએ કાર્યક્રમના વિરોધની પહેલા જ જાહેરાત કરી દીધી હતી
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટ ઘણું સક્રિય હતું
હિંસાના 15 કલાક પહેલા DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ પણ બદલી દેવાયો
હતો
કેશવ પ્રસાદને હેલિકોપ્ટરની જગ્યાએ રોડમાર્ગેથી જવા કહેવાયું હતું
કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી
ગૃહ રાજ્યમંત્રીએ લોકલ ઇન્ટેલિજન્સની વાતને ન માની
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી
કેન્દ્રીય મંત્રીએ ચેતવણીને નજરઅંદાજ કરી અને 40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા
ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો રૂટ પણ બદલી દેવાયો
બપોરે 40થી વધુ કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો
તિકોનિયા બનવીરપુર ગામથી અંદાજે 4 કિલોમીટર દૂર છે જ્યાં ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો
કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો તો ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા તિકોનિયા પાસે પહોંચ્યા અને વિવાદ થયો
અજય મિશ્રાના દીકરા પર આશીષ પર આરોપ છે કે તેણે ખેડૂતો પર કાર ચઢાવી દીધી
ખેડૂતોને આ અંગે જાણ થતા હિંસા વધુ ભડકી હતી અને ખેડૂતો રોષે ભરાયા હતા