ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટે ઓફ જસ્ટિસે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. આઇસીજેના અધ્યક્ષ જજ અબ્દુલાકાવી યૂસુફે યૂએન જનરલ એસેમ્બલીને જણાવ્યું કે કુલભૂષણ મામલામાં પાકિસ્તાને વિયેના કન્વેશનના અનુચ્છેદ 36 હેઠળ પોતાના દાયિત્વો પૂર્ણ કર્યા નથી. આખા મામલામાં જરુરી કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં ICJએ પાકિસ્તાનને ફટકાર લગાવી
ICJએ કહ્યું પાકિસ્તાને વિયેના કન્વેશનના અનુચ્છેદ 36નું કર્યું ઉલ્લંઘન
ICJએ કહ્યું પાક.એ કુલભૂષણ જાધવને તમામ અધિકાર નહોતા આપ્યા
આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) ના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી યૂસૂફ (Abdulqawi Yusuf) એ અહીં સયુક્ત રાષ્ટ્ર મહાસભાને જણાવ્યું કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) ના મામલામાં પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું.
કોર્ટે કહ્યું છે કે પાકિસ્તાને વિયેના કન્વેશનના અનુચ્છેદ 36નું ઉલ્લંઘન કર્યું છે. આ મામલામાં પાકિસ્તાને કુલભૂષણ જાધવને એ તમામ અધિકાર નહોતા આપ્યા જે તેમને મળવા જોઇતા હતા. કુલભૂષણ જાધવના મામલામાં કોર્ટે ઘણીવાર વિયેના કન્વેન્શનનો ઉલ્લેખ કર્યો.
કોર્ટે કહ્યું કે વિયેના કન્વેશન મુજબ, બંને દેશો વચ્ચે સમજુતી ન થયા બાદ પણ ધરપકડ કરાયેલી વ્યક્તિને કાઉન્સેલર એક્સેસ મળવું જોઇએ. જો એમ નથી થતું તો આ અનુચ્છેદ 36નું ઉલ્લંઘન છે.