કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ રાધાષ્ટમી મનાવવામાં આવે છે. જાણો રાધાષ્ટમીની પૂજાવિધિ અને શુભ મુહૂર્ત
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી
આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે
આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ - શાંતિ
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી
ભાદ્રપદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીનાં રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ ભાદ્રપદ્ર શુક્લની અષ્ટમીનાં રોજ રાધાષ્ટમી મનાવાય છે. આ દિવસે રાધાજીનો જન્મ થયો હતો. આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. રાધાષ્ટમીનાં અવસરને મથુરા, વૃંદાવન, બરસાના વગેરેમાં ખૂબ જ ધામધૂમથી મનાવાય છે.
જ્યોતિષ અનુસાર, આ દિવસે રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે રાધારાણીની પૂજા અર્ચના કરવી, વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ વધે છે. આવો જાણીએ રાધાષ્ટમીની પૂજા તિથી અને મહત્વ વિશે.
રાધાષ્ટમી 2022 મુહૂર્ત
હિન્દુ પંચાંગમા દરેક તિથી અને વ્રતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે રાધા અષ્ટમી 2022 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે અષ્ટમી તિથીનો આરંભ 3 સપ્ટેમ્બર, શનિવારે બપોરે 12:25 પર થશે અને સમાપન રવિવારે સવારે 10:40 પર થશે. ઉદયાતીથી અનુસાર, રાધા અષ્ટમી પર્વ 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે.
રાધાષ્ટમી પૂજાવિધિ
રાધાષ્ટમીનાં વ્રતને પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સવારે સ્નાન વગેરે કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યાર બાદ પૂજા સ્થાન પર એક જળથી ભરેલ કળશ રાખવો જોઈએ. ચોકી પર લાલ કે પીળા રંગનું કપડું પાથરી ત્યાં રાધારાણીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ત્યાર બાદ રાધા રાણીને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને તેમને સાફ વસ્ત્રો પહેરાવી તેમનો શણગાર કરવામાં આવે છે.
પૂજા દરમિયાન રાધારાણીને ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. આ દિવસે રાધારાણી સાથે ભગવાન શ્રએ કૃષ્ણની પૂજા પણ કરવામાં આવે છે. રાધા-કૃષ્ણનાં મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ. અંતમાઆ રાધા-કૃષ્ણની આરતી કરીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે.