આપણા હિંદુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને સાથે પૂરા નિયમ અને વિધિ વિધાનની સાથે ભગવાનનું પૂજન કરવામાં આવે છે. પરંતુ શું કોઇને આ વાતની જાણ છે કે કે કેટલાક કામોમાં ભગવાનનું પૂજન કરવાની ના પાડવામાં આવી છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર વ્યક્તિને કેટલીક અવસ્થામાં ભગવાનનું પૂજન કરવું જોઇએ નહીં. કહેવાય છે કે આવું કરવા પર વ્યક્તિને પાપનો ભાગીદાર બનવું પડે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ છીએ કે કઇ કઇસ્થિતિઓમાં ભગવાનની પૂજા કરવી જોઇએ નહીં.
કેટલાક લોકોની આદત હોય છે કે એ સ્નાન કર્યાના તરત બાદ જ ટૉવેલ લપેટીને અથવા ઇનરવેરમાં ભગવાનની પૂજા કરી લે છે. જે બિલકુલ ખોટું છે. એવામાં વ્યક્તિએ પોતાની શુદ્ધતાનું જાતે જ ધ્યાન રાખવું જોઇએ અને સ્વચ્છ કપડા પહેકીને જ ભદવાનને યાદ કરવા જોઇએ.
કેટલાક લોકો કહે છે કે મનમાં મેલ હોવો જોઇએ નહીં, પછી ભલે તમારા તન પર મેલ હોય તો પણ ભગવાનનું પૂજન કરી લેવું જોઇએ. પરંતુ આવું બિલકુલ કરવું જોઇએ નહીં, હંમેશા સ્નાન કર્યા બાદ જ પૂજા પાઠ કરવી જોઇએ. શાસ્ત્રોમાં ન્હાયા વગર ભગવાનને અડવું જોઇએ નહીં.
હિંદુ ધર્મમાં એક રિવાજ છે કે સૂતક અને પાતકની સમયે વ્યક્તિ કોઇ પણ ધાર્મિક કામ કરી શકે નહીં, એટલે કે જ્યારે પરિવારમાં કોઇનો જન્મ થયો હોય અથવા કોઇનું મોત થયું હોય તો એ 11 13 દિવસો સુધી કોઇ પણ શુભ કામ કરી શકે નહીં. ધાર્મિક કામોનું કરવું વર્જિત માનવામાં આવે છે.