ગામેગામ ચાલશે અભિયાન
યૂપી સરકારે રવિવારે જાહેર કરેલા નિવેદન અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ કિસાન યોજનાના નાના પાકવાળા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ બનાવડાવવાના આદેશ આપ્યા છે. આ યોજનાના દરેક લાભાર્થીને કોરોના સંકટના કારણે કાર્ડ મળી શક્યા નથી. તેના કારણે હવે ગામેગામ અભિયાન ચલાવીને આ કાર્ડ બનાવડાવવામાં આવી રહ્યા છે. જેમાં દરેક જિલ્લા મુખ્ય વિકાસ અધિકારી, ઉપ નિર્દેશક કૃષિને પત્ર જાહેર કરાયા છે. તેમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીને કૃષિ વિભાગના કર્મચારી દ્વારા ડોક્યુમેન્ટની યોગ્યતાના આધારે ઈચ્છુક લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાના આદેશ અપાયા છે.
આ રીતે કરી શકાય છે અરજી
ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/પર જવાનું રહે છે અને અહીં કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહે છે. આ ફોર્મને તમે તમારી ભૂમિના દસ્તાવેજ, પાકની ડિટેલ્સની સાથે ભરવાનું રહે છે. એ જાણકારી પણ આપવાની રહે છે કે તમે કોઈ અન્ય બેંક કે શાખાથી કોઈ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવડાવ્યું છે કે નહી.અરજી ભરીને સબમિટ કરો. આ પછી સંબંધિત બેંક કિસાન ક્રેડિટ કાર્ડ તમને આપશે.
કેસીસી માટે આ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ
આઈડી પ્રૂફ માટે તમે વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખો.
એડ્રેસ પ્રૂફ માટે તમે વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખો.
કેસીસી કાર્ડ ન મળે તો અહીં કરો ફરિયાદ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અનુસાર બેંકને ખેડૂતના આવેદન કરવાના 15 દિવસની અંદર આ કાર્ડ જાહેર કરવાનું રહે છે. જો 15 દિવસમાં કાર્ડ જાહેર ન થાય તો તમે બેંકની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકો છો. આ માટે તમે બેંકિંગ લોકપાલનો સંપર્ક કરો. તમે એ બેંકિગ લોકપાલની ફરિયાદ કરો જે તેમના અધિકાર ક્ષેત્રમાં બેંકની શાખા કે કાર્યાલય કામ કરે છે. આ સિવાય આરબીઆઈની વેબસાઈટ https://cms.rbi.org.in/ પર જાઓ અને અહીં કિસાન ક્રેડિટ કાર્ડ હેલ્પ લાઈન નંબર 0120-6025109 / 155261 અને ગ્રાહક ઈમેલ ([email protected])ની મદદથી પણ તમે હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકો છો.