ખેડૂતો માટેની યોજનાઓમાં અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી બનાવવાની યોજનામાં મસમોટું કૌભાંડ થઇ રહ્યું છે. રોજબરોજ આવા કૌભાંડ સામે આવી રહ્યાં છે.
નવસારીના વાંસદામાં ખેત તલાવડી કૌભાંડ સામે આવ્યું છે. વાંસદા ચાપલધરા અને કાંટસવેલ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. 8 ખેત તલાવડી ન બનાવીને રૂપિયા 7 લાખ 67 હજારનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે.
ધરમપુર કચેરીના ચાર અધિકારીઓ અને બે કોન્ટ્રાક્ટરો સામે નોંધાયો ગુનો છે. આ આરોપી પ્રવિણ બળચંદ્ર પ્રેમલ, પી.એમ.ચૌધરી, ડી.કે.પટેલ, એસ.આર. કિશોરી, નીતિન એસ કિશોરી અને હિતેન સુરેશ પટેલના નામ સામે આવ્યા છે.
મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ખેત તલાવડી કૌભાંડ મામલે 70થી વધુ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં કંઇ પકડાયું નથી. દરોડા પાડીને કામગીરી અટકાવી દેવાઇ પરંતુ આગળ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.