ક્રેડિટ કાર્ડ લોકો માટે ખૂબ જ સુવિધાજનક બની ગયું છે અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે. સાથે જ તેમાં બિલને EMIમાં કન્વર્ટ કરાવવાની સુવિધા પણ મળે છે. જાણો તેના વિશે.
ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે કામના સમાચાર
ક્રેડિટ કાર્ડમાં EMIમાં કન્વર્ટ કરાવવાની સુવિધા પણ મળે છે
ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલાં આ 4 વાતો જાણી લો
ક્રેડિટ કાર્ડ વાપરતા લોકોને ઘણી સુવિધાઓ તો મળે છે પરંતુ સાથે જ તેમાં કેટલાક નુકસાન પણ છુપાયેલા હોય છે. જેથી તેનો ઉપયોગ કરવામાં અને ઈએમઆઈ કરાવવામાં આ 4 વાતોનું રાખો ધ્યાન.
જ્યારે જરૂરી હોય ત્યારે સૌથી યોગ્ય EMI કન્વર્ઝન વિકલ્પ પસંદ કરો
સંપૂર્ણ બિલ અથવા તેના એક ભાગને કન્વર્ટ કરો
આ વિકલ્પ તમને ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ બિલ અથવા એક ભાગને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. આવું કરવા પર તમે ભારે વ્યાજદર અને લેટ પેમેન્ટ ફીસથી બચી જશો. તમે નાના નાના હપ્તામાં બિલ ચૂકવી શકો છો.
પસંદ કરેલા ટ્રાન્ઝેક્શનને ઇએમઆઈમાં કન્વર્ટ કરો
આ વિકલ્પ કાર્ડ યુઝરને ચોક્કસ મર્યાદાથી વધુની રકમના ટ્રાન્ઝેક્શનને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પ તેમના માટે ફાયદાકારક થઈ શકે છે, જેઓ ફક્ત સિલેક્ટેડ ટ્રાન્ઝેક્નને EMIમાં રૂપાંતરિત કરવા માંગે છે.
ઇએમઆઈ પર ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર કરો
ઘણી બેંકો ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર પર ઇએમઆઈ કન્વર્ઝન સુવિધા આપે છે. આ વિકલ્પ તમને બાકીના બિલને કોઈપણ અન્ય બેંકના ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે અને પછી તેને ઇએમઆઈમાં કન્વર્ટ કરે છે.
ઇએમઆઈ રૂપાંતર પર લાગુ વ્યાજદર
ઇએમઆઈ રૂપાંતર પર લાગુ વ્યાજદર 23 ટકાથી વાર્ષિક 49 ટકા સુધી બદલાય છે, જે ક્રેડિટ કાર્ડના બાકીના બિલ પર લેવામાં આવે છે. જોકે, ઇએમઆઈ કન્વર્ઝન પર લાગુ વ્યાજદર ક્રેડિટ કાર્ડ અને કાર્ડધારકની ક્રેડિટ પ્રોફાઇલ, તેના પેમેન્ટ રેકોર્ડ અને ટ્રાન્ઝેક્શન પેટર્નના આધારે બદલાય છે. ઇએમઆઈ રૂપાંતર પર પ્રોસેસિંગ ફી પણ લાગી શકે છે.
ઇએમઆઈ રૂપાંતર માટે ચૂકવણી અવધિ
પસંદગીના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને ઇએમઆઈ અથવા ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફરને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની અવધિ સામાન્ય રીતે 3થી 48 મહિનાની વચ્ચે હોય છે, જ્યારે આખા બિલને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની અવધિ 3થી 60 મહિના સુધીની હોય છે. લાંબા સમયમાં વધુ વ્યાજ લાગે છે, તેથી ટૂંકા ગાળાની પસંદગી કરવી હંમેશાં ફાયદાકારક છે.
આ છે કામની વાત
જો તમે ક્રેડિટ કાર્ડથી મોટી ખરીદી કરીને બિલને EMIમાં કન્વર્ટ કરવા માંગતા હો તો પ્રથમ વેચનાર પાસેથી નો-કોસ્ટ EMIના કિસ્સામાં વેપારી તરફથી વ્યાજ માફ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કાર્ડ ધારકે EMI સુવિધા લીધી હોવા છતાં વધારાની ચૂકવણી કરવાની રહેશે નહીં. જોકે, વ્યાજ પર જીએસટી ચૂકવવું પડશે.
લોન કેમ ન લેવી
મોટા ટ્રાન્ઝેક્શન માટે વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ બેલેન્સ પર લોન જેવા વિકલ્પોના વ્યાજદર અને અન્ય કિંમતોની તુલના કરવી જોઈએ. સારી ક્રેડિટ પ્રોફાઇલવાળા કાર્ડધારક માટે, ઘણી બેંકો / કંપનીઓના વ્યક્તિગત લોન વ્યાજદર EMI કન્વર્ઝન ખર્ચ કરતા ઓછાં હોય છે. તે પણ ધ્યાન રાખવું.