બોમ્મઈ આજે સવારે 11 વાગે કર્ણાટક સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. તો રાજ્યમાં ત્રણ ડેપ્ટી સીએમ પણ સામેલ થશે એવા પણ સમાચાર છે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રી પર ભાજપે નિર્ણય કર્યો
બોમ્મઈ આજે સવારે 11 વાગે સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે
રાજ્યમાં ત્રણ ડેપ્ટી સીએમ પણ સામેલ થશે
બોમ્મઈ આજે સવારે 11 વાગે સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે
કર્ણાટકના નવા મુખ્યમંત્રી પર ભાજપે નિર્ણય કર્યો છે. મંગળવારે અનેક ધારાસભ્ય દળની બેઠક બાદ જાહેરાત કરવામાં આવી કે રાજ્યના ગૃહ મંત્રી બસવરાજ બોમ્મઈ હવે સીએમ બનશે. બોમ્મઈના સીએમ બનવાના પ્રસ્તાવને ખુદ કાર્યવાહક સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાખ્યો. બોમ્મઈ આજે સવારે 11 વાગે શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન સમાચાર છે કે રાજ્યમાં ત્રણ ડેપ્ટી સીએમ પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અશોક, યેદિયુરપ્પાની સરકારમા રાજસ્વ મંત્રી હતા. તે ગોવિંદ કરજોલ પહેલાથી ડેપ્યૂટી સીએમના પદ પર હતા. આ સાથે શ્રીરામલુ, કર્ણાટક સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા.
ઉપમુખ્યમંત્રીઓના માધ્યમથી જાતીય સમીકરણને પણ સાધવાનો પ્રયાસ
શક્ય નવા ઉપમુખ્યમંત્રીઓના માધ્યમથી જાતીય સમીકરણને પણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અશોક અસરકારક વોક્કલિગા જાતિથી છે તો કરજોલ- એસસી અને શ્રીરામલુ એસટી છે. ત્યારે બોમ્મઈએ મંગળવારે કહ્યું કે રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે અને નિર્ણય કર્યો છે કે કાલે સવારે 11 વાગે શપર લેશે.
બોમ્મઈ એકલા શપથ લેશે
રાજ્યપાલ કાર્યાલય અનુસાર શપથ ગ્રહણ સમારોહ રાજભવનના ગ્લાસ હાઉસમાં થશે, બોમ્મઈએ એમ પણ કહ્યું કે તે બુધવારે એકલા શપથ લેશે. ભાજપા ધારાસભ્ય દળના નેતાના રુપમાં પસંદગી પામ્યા બાદ બોમ્મઈ કાર્યવાહક મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાની સાથે સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે રાજભવન ગયા. યેદિયુરપ્પાએ સોમવારે પોતાની સરકારના 2 વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. રાજ્યપાલે તેને સ્વીકારી લીધુ હતુ.