કર્ણાટક પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે મંદિરોના ડોનેશન બોક્સમાં ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ નાખતો હતો. આરોપી દેવદાસ દેસાઈએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે યીશુનો સંદેશ ફેલાવવા માટે આવુ કરી રહ્યો હતો અને તેને તેનો કોઈ અફસોસ નથી.
કર્ણાટકમાં એક શખ્સ મંદિરોના ડોનેશન બોક્સમાં નાખતો હતો કોન્ડોમ
62 વર્ષીય આ શખ્સ ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ નાખતો હતો
પોલીસ 1 વર્ષથી કરી રહી હતી તપાસ, આરોપીની થઈ ધરપકડ
આરોપી દરેક વખતે ભાગવામાં થતો હતો સફળ
પોલીસ લગભગ 1 વર્ષથી તેની તલાશ કરી રહી હતી. દેસાઈ મંદિર પરિસર અને ત્યાં લગાવેલી દાનપેટીમાં ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ નાખીને જતો રહેતો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ, પોલીસે જણાવ્યું કે 62 વર્ષીય આરોપી દેવદાસ દેસાઈ મંગલુરૂના અનેક મંદિરોમાં આવુ કરી ચૂક્યો છે. છેલ્લાં લાંબા સમયથી તેની તપાસ ચાલી રહી હતી, પરંતુ દરેક વખતે તે ભાગવામાં સફળ થતો હતો. ગયા વર્ષે 27 ડિસેમ્બરે કોરજ્જાના કટ્ટે ગામના એક મંદિરની દાનપેટીમાં ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ મળવાની વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી.
આ રીતે થયો જેલહવાલે
ઘટનાની સુચના મળ્યાં બાદ પોલીસે મંદિર અને આજુબાજુમાં લગાવવામાં આવેલા કેમેરાની તપાસ કરી. જ્યારે અધિકારીઓએ CCTV ફૂટેજ તપાસ્યા તો તેમાં આરોપીનો ચહેરો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે આ શખ્સની ધરપકડ કરી. પૂછપરછમાં દેવદાસ દેસાઈએ સ્વીકાર કર્યો કે તેણે આવા પ્રકારના મંદિરોને અપવિત્ર કરી નાખ્યા છે. આરોપીએ જણાવ્યું કે તેણે કુલ 18 મંદિરોમાં આ હરકત કરી છે. જો કે તેમાંથી ફક્ત પાંચ મંદિરો તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એટલા માટે ફેંકતો હતો વાપરેલા કોન્ડોમ
કમિશ્નર શશિકુમાર મુજબ, આરોપીએ જણાવ્યું કે તે મંદિરોમાં ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ એટલા માટે ફેંકતો હતો. કારણકે તેઓને અપવિત્ર કરીને લોકોને પોતાના ધર્મ તરફ લાવી શકે. ફક્ત મંદિર નહીં, આરોપીએ કેટલાંક ગુરુદ્વારા અને મસ્જિદોમાં આવુ કર્યુ હતુ. પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તેને આ કૃત્ય કર્યુ તેનાથી તેને કોઈ અફસોસ નથી. તે ફક્ત યીશુના સંદેશનો પ્રસાર કરી રહ્યો હતો. આરોપીએ એવુ પણ કહ્યું કે બાઈબલ કહે છે કે યીશુ સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. હું કોન્ડોમ એટલા માટે ફેંકતો હતો કે કારણકે અશુદ્ધ ચીજોને અપવિત્ર સ્થાન પર જ ફેંકવા જોઈએ.