કર્ણાટકના શિવમોગા જિલ્લાએ ગામ રંગાપુરામાં 300થી વધારે જીવત કુતરાને દફનાવી દેવાની વાત સામે આવી છે.
રંગાપુરામાં થોડાક દિવસ પહેલા અનેક કુતરાઓના મૃતદેહ મળ્યા
કુતરાઓને ઝેર આપવાની વાતને પોલીસે ફગાવી દીધી
જીવતા દફનાવવામાં આવેલા કુતરાની સંખ્યા 300થી વધારે
રંગાપુરામાં થોડાક દિવસ પહેલા અનેક કુતરાઓના મૃતદેહ મળ્યા
કર્ણાટકના શિવમોગા જિલ્લાએ ગામ રંગાપુરામાં થોડાક દિવસ પહેલા અનેક કુતરાઓના મૃતદેહ મળ્યા હતા. હવે પોલીસની શરુઆતની તપાસમાં આ કુતરાઓને ઝેર આપવાની વાત સામે આવી હતી. જો કે હજું સુધી પોલીસે સંખ્યાનો ખુલાસો નથી કર્યો. પરંતુ સંકેત મળી રહ્યા છે કે આ સંખ્યા 100થી વધારે હોઈ શકે છે. આ ઉપરાંત આ જાનવરોના મોતનું કારણ પણ સ્પષ્ટ નથી. ત્યારે પોલીસે તેમને ઝેર આપવાની શક્યતાને નકારી કાઢી છે.
તેમના મોતનું કારણ જાણવું મુશ્કેલ થઈ રહ્યું હતુ
એક મીડિયા રિપોર્ટ મુજબ રંગાપુર ગામમાં જ્યારે લાશો મળી તો તેમની સ્થિતિ બહું ખરાબ હતી. તેઓ એટલા સડી ચૂક્યા હતા કે તેમના મોતનું કારણ જાણવું મુશ્કેલ થઈ રહ્યું હતુ. એટલું જ નહીં વેટેનરી ફોરેન્સિક એક્સપર્ટ પણ સડવાના કારણે વાસ્તવિક કારણ શોધી નથી શક્યા.
આ ઘટનામાં સ્થાનીય ગ્રામ પંચાયત અધિકારીઓનો હાથ હોવાની પોલીસને શંકા
રિપોર્ટ મુજબ પોલીસને શંકા છે કે આ ઘટનામાં સ્થાનીય ગ્રામ પંચાયત અધિકારીઓનો હાથ છે. ભદ્રવતિ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ જણાવે છે તે કેટલા સ્થાનિક રહેવાસીઓની શંકાસ્પદ ગતિવિધિઓ પર શંકા થઈ હતી. જાણકારોના બચાવ કાર્ય કરનારા ગ્રુપે આ સંબંધમાં સૂચિત કરવામાં આવ્યા છે. આ ગ્રુપને જાનવરોની લાશો મળી હતી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પંચાયત અધિકારીઓએ ખાનગી કંપનીને કુતરા મારવાનો કોન્ટ્રાક્સ આપ્યો હતો. આ દરમિયાન અનેક કુતરાઓને જીવતા દાટી દેવામાં આવ્યા હતા.
જીવતા દફનાવવામાં આવેલા કુતરાની સંખ્યા 300થી વધારે
શિવમોગા એનિમલ રેસ્ક્યૂ ક્લબના સભ્ય જીએસ બાસવ પ્રસાદને સમાચાર એજન્સીએ જણાવ્યું કે તેમને ગામજનોનો 3 દિવસ પહેલા ફોન આવ્યો હતો. પ્રસાદે કહ્યું કે જંગલ વિસ્તારમાં 50થી 200 કુતરાને જીવતા દાટી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતુ કે જાણકારી મળતા અમારી ટીમ ત્યાં પહોંચી અમને જાણવા મળ્યું કે ગ્રામ પંચાયત અધ્યક્ષ, પંચાયત વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓ સામેલ છે. પછીથી ખબર પડી કે જીવતા દફનાવવામાં આવેલા કુતરાની સંખ્યા 300થી વધારે હતી.