મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડનારી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ કનેક્શન અંગે તપાસ શરૂ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ તપાસ અધ્યાય સુમનના જૂના ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવી રહી છે.
કંગના સામે મહારાષ્ટ્ર સરકારના તપાસના આદેશ
ડ્રગ્સ મામલે કંગના સામે તપાસના આદેશ
અધ્યયન સુમનના ઈન્ટરવ્યૂના આધારે નિર્ણય
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કંગનાની ઓફિસમાં BMCએ નોટિસ ફટકાર્યા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ મામલે તપાસ કરશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કંગના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.
મુંબઈ પોલીસ કરશે તપાસ
જેની તપાસ હવે મુંબઈ પોલીસ કરશે. તો બીજી તરફ કંગના રનૌત મનાલીથી મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે.. કંગના રનૌતે ડ્રગ્સ મામલાની તપાસ મુદ્દે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
અધ્યયન સુમને કંગના પર કર્યો આક્ષેપ
નોંધનીય છે કે, શિવસેનાના નેતા સુનિલ પ્રભુ અને પ્રતાપે અધ્યયન સુમનના જુના ઇન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે. અધ્યયન સુમને આરોપ લગાવ્યો છે કેસ કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ જબરજસ્તી સેવન કરાવ્યું હતું. ત્યારબાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
ગઈકાલે જ મહારાષ્ટ્ર કોંગ્રેસે કંગના રનૌત સાથે જોડાયેલી ડ્રગ લિંક્સની પણ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે કેટલાક વીડિયો બહાર આવ્યા છે જેમાં કંગનાએ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સ લે છે. જો એમ છે, તો પછી કોણ તેમને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એનસીબી આ મામલાની તપાસ કરી રહી છે અને તેણે કંગનાને લગતા કેસની પણ તપાસ કરવી જોઈએ.
NCB આ મામલાની પૂછપરછ કરશે
સચિન સાવંતે વધુમાં કહ્યું હતું કે, કંગનાના પૂર્વ સહયોગીઓએ ખુલાસો કર્યો છે કે, તે કોકેઇનનું પણ સેવન કરે છે અને જો ખરેખર તે વાત સાચી છે તો NCB આ મામલાની પૂછપરછ કરશે.
શું છે સમગ્ર મામલો
પોતાના નિવેદનો માટે જાણીતી હિરોઇન કંગના રનૌત હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની પંગા ક્વિન સોશ્યલ મિડીયા પર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુશાંત કેસમાં આગળ આવીને બોલનાર અભિનેત્રી બોલિવૂડ વિશે ખુલ્લેઆમ વાતો કરતી રહે છે, હાલમાં જ મુંબઇને પીઓકે બતાવનાર કંગના ઉપર બોલિવૂડ સેલેબ્સની નારાજગી જોવા મળી રહી છે. તેને ધમકીઓ મળી છે કે તેને જો પોતાનો જીવ વ્હાલો હોય તો તે મુંબઇ પાછી ન આવે.
કોઇના બાપની તાકાત હોય તો રોકી લો
કંગનાએ એક ટ્વીટ કરી છે કે, મને ખબર છે કેટલાક લોકો મને ધમકીઓ આપી રહ્યા છે કે મારે મુંબઇ પાછુ ન આવવુ જોઇએ, માટે મેં નિર્ણય કર્યો છે કે હવે 9 સપ્ટેમ્બર હું મુંબઇ પાછી આવીશ. જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર ઉતરીશ ત્યારે સમય પણ શૅર કરીશ, કોઇના બાપની તાકાત હોય તો રોકી લો.