દેશમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે જનતાની ચિંતા પોતાની સેફ્ટી માટે વધી રહી છે. સાથે જ કોરોનાના દર્દીઓનો આંકડો દેશમાં 5 લાખને પાર થઇ ગયો છે. સાથે જ 15685 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે કમાલ આર ખાને મોટુ નિવેદન આપ્યુ છે.
કમાલ ખાને કરી કોરોના પર ટ્વિટ
સરકાર પર ઉઠાવ્યા સવાલ
કમાલ આર ખાને કહ્યું છે કે 25 માર્ચે જ્યારે દેશમાં કોરોનાના માત્ર 500 કેસ હતા ત્યારે થાળીઓ પણ વગાડી અને દિવા પણ પ્રગટાવ્યા અને હવે 5 લાખ કેસનો આંકડો પાર થઇ ચૂક્યો છે જેના માટે હું અભિનંદન પાઠવુ છું.
25 मार्च को, जब देश में #Corona के सिर्फ़ 500 मरीज़ थे, #Lockdown चालू करके ये एलान किया गया था कि #Corona को यहीं पर मसल डालेंगे! थालियाँ भी बजाई गयी, दिया भी जलाया गया, जहाज़ भी उड़ाए गए जश्न मनाने के लिए! और आज देश में पाँच लाख से ज़्यादा corona मरीज़ हो गए हैं! मुबारक हो!
કમાલ આર ખાનના આ ટ્વિટને સોશ્યલ મિડીયા પર ખૂબ વાંચવામાં આવી રહ્યું છે. દેશમાં 18 હજાર કરતા પણ વધારે મામલા છેલ્લા થોડા દિવસમાં સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ટેસ્ટ પણ જેટલા થવા જોઇએ તેટલા નથી થઇ રહ્યાં. જેનાથી દેશવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે, કોરોનાને 5 લાખ લોકો સુધી પહોંચતા માત્ર 149 દિવસનો સમય લાગ્યો છે. જો હવે કોઇ પણ એક્શન લેવામાં નહી આવે તો કોરોના આખા દેશને ભરખી જશે.
કમાલ ખાનની ટ્વિટે લોકોને પણ વિચારતા કરી મૂક્યા છે કે હવે આ મહામારીથી બહાર નિકળવાનો રસ્તો બીજો ક્યો છે, કારણકે કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. ડૉક્ટર પણ સેવા આપતા આપતા કોરોનાનો ભોગ બની ચૂક્યા છે.