ઠંડીની સીઝનમાં વ્યક્તિ વધુ બિમાર પડે છે. ખાસ કરીને કફ પ્રકૃતિવાળા લોકોને આ સીઝન માફક આવતી નથી. ઠંડી હવાઓ વ્યક્તિને બિમાર બનાવી શકે છે. ખાણીપીણીમાં અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વ્યક્તિ ઠંડીમા થતી બિમારીઓથી બચી શકે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે ખાવાથી તમે બિમાર પડતા અટકી જાવ છો અને સ્વસ્થ રહી શકો છો.
ગરમ પીણાં
ગરમ દુધ હોય કે ગરમ ચા, ઠંડીની સીઝનમાં તે તમારુ રક્ષણ કરે છે. આ ઉપરાંત ઠંડીમાં ગરમ પાણી પીવો તો ખુબ જ સારું. તમે ગ્રીન ટી પણ પી શકો છો અથવા આદુ, મરી, હળદળ, લીંબુ, તુલસીના પાન નાંખેલુ ગરમ પાણી પણ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે. તે શરદી થતા રોકે છે. આદુ અને તુલસીના પાનવાળી ચા પણ સ્વાસ્થ્યપ્રદ છે.
શિયાળામાં મળતા શાકભાજી
આ સીઝનમાં લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. તે તમને તાકાત આપે છે. સાથે સાથે શરીરને ઠંડીના દુષ્પ્રભાવથી પણ બચાવે છે. તે તમારા શરીરને પોષણ પણ આપે છે. તેમાં રહેલા પોષક તત્વ પ્રતિરોધક ક્ષમતા વધારીને બીમારીઓ સામે રક્ષણ આપે છે. પાલખ, મેથી, સરસો, સુવા જેવી ભાજીઓ ભરપુર ખાઇ લેવી.
સુપ
સુપ ઠંડીમાં સ્વસ્થ રહેવાનો બહેતર વિકલ્પ છે. તે શરીરમાં પોષકતત્વોની કમીને પુરી કરે છે. સાથે શરીરમાં ગરમી પણ લાવે છે. તે શરદીથી પણ બચાવે છે. તમે રોજ શિયાળામાં મળતા શાકભાજી મિક્સ કરીને સુપ બનાવી શકો છો. તેનાથી તમે એકદમ હેલ્ધી બનશો. તમારુ વજન પણ કન્ટ્રોલમાં રહેશે.
સરસો
સરસોનું શાક હોય કે તેલ, તે ગરમ પ્રકૃતિનુ હોવાના કારણે ઠંડીમાં તમારા શરીરને ગરમી આપે છે. સરસો ઠંડીમાં ખુબ જ લાભકારક છે. સરસો ખાનારી વ્યક્તિ ઠંડીમાં પણ બિમાર પડતી નથી.
સુર્યપ્રકાશ
ઠંડીની સીઝનમાં પ્રાકૃતિક ગરમી આપવાનુ કામ કરે છે સુર્યપ્રકાશ. રોજ પર્યાપ્ત માત્રામાં તડકો લેવો ઠંડીના દિવસોમાં તમારા સ્વાસ્થ્યને ટકાવી રાખવામાં અને તેને બહેતર બનાવવામાં મદદ કરે છે. તમે સંક્રમણ અને શરદીથી બચી શકો છો.