શરીરને સ્વસ્થ રાખવા માટે એક અસરકારક ઉપાય છે પગની મસાજ એટલે કે ફૂટ મસાજ. તે તમને જોરદાર તાજગી તો આપશે ઉપરાંત તમને અનેક સમસ્યામાંથી છુટકારો પણ અપાવશે.
શરીરને સ્વસ્થ રાખવા માટે ફૂટ મસાજ કરો
ફક્ત ૧૦ મિનિટનો ફૂટ મસાજ આપશે જોરદાર તાજગી
અનેક સમસ્યામાંથી છુટકારો પણ અપાવશે
ભાગદોડ ભરેલી જિંદગીમાં મહિલાઓ પોતાના આરોગ્યને નજરઅંદાજ કરતી હોય છે. આ કારણે તેમને શરીરનો દુખાવો, પેટનો દુખાવો, માથાનો દુખાવો, શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ રહે છે. રોજિંદી જિંદગીમાં થતી આવી નાની-મોટી સમસ્યાઓ ક્યારેક ગંભીર રૂપ ધારણ કરી શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે એક અસરકારક ઉપાય છે પગની મસાજ એટલે કે ફૂટ મસાજ. તે તમને જોરદાર તાજગી તો આપશે જ. ઉપરાંત તમને અનેક સમસ્યામાંથી છુટકારો પણ અપાવશે.
કેમ ફાયદાકારક છે ફૂટ મસાજ?
પગના મસાજથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને લોહીના ગઠ્ઠા પણ જામી જતા નથી. તેનાથી માત્ર થાક નહીં, કેટલાય હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે.
માલિશ કરવાની આ છે સાચી રીત
આ માટે સૌથી પહેલાં એક ટબમાં હૂંફાળુ પાણી લો, તેમાં સરસવ કે નારિયેળના તેલનાં પાંચ-છ ટીપાં નાખો. ૧૦ મિનિટ તેમાં પગ બોળી રાખો અને પછી પગને ટુવાલથી લૂછી લો. હવે તેલને હળવું ગરમ કરી પગના તળિયા પર સારી રીતે મસાજ કરો. આખી રાત તેને એમ જ રહેવા દો.
કયા તેલથી કરશો મસાજ?
પગના મસાજ માટે ફુદીના, લવિંગ, નીલગીરી, જૈતુન, એરંડિયા, સરસવ કે નારિયેળ તેલ બેસ્ટ ઓપ્શન છે.
જાણો મસાજના આ જોરદાર ફાયદા
- પગના તળિયામાં ૧૦ મિનિટ મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે. પગમાં દુખાવો, પગ સુન્ન પડી જવા અને થાક તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
- મગજ શાંત થાય છે અને નર્વસ સિસ્ટમ ઠીક થાય છે, તણાવ ઘટે છે અને સાથે-સાથે તમે ડિપ્રેશનથી પણ બચી શકો છો.
- ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે. પગના તળિયે માલિશ કરવાથી માંસપેશીઓને પણ આરામ મળે છે, થાક દૂર થાય છે.
- પિરિયડ્સ દરમિયાન થતાં લક્ષણો, જેમ કે અનિદ્રા, ચક્કર, ચિંતા વગેરે સમસ્યા દૂર થાય છે અને આરામ મળે છે.
- ફૂટ મસાજ કરવાથી વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદો થાય છે. તે તમારા મેટાબોલિઝમને બહેતર બનાવે છે. શરીરને ડિટોક્સ કરે છે અને વેઇટ લુઝ કરવામાં પણ ખૂબ ફાયદો થાય છે.
- જે લોકોને સારી ઊંઘ ન આવતી હોય તેમને પગના મસાજથી ખૂબ ફાયદો થાય છે.