ભાવનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલી 'મન કી બાત' કાર્યક્રમ ગ્રામજનોની વચ્ચે બેસીને સાંભળી હતી. ભાવનગરના ફરિયાદકા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાજરી આપી હતી.
અહીં જીતુ વાઘાણીના હસ્તે રૂપિયા 2 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાના કામોનું ખાતમુહર્ત પણ કર્યું હતુ. અહીં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતાં.
જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા યોજાતી મનકી બાતના કારણે વિવિધ ક્ષેત્રમાં લોકોમાં જાગૃતિ આવી છે પછી તે જળ સંગ્રહની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય. જીતુ વાઘાણીએ તેમના સસરાની સારવારના મુદ્દે થયેલા વિવાદ અંગે કઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.