ગુજરાતમાં કોરોના કહેર ધીમી ગતિએ વધી રહ્યો છે ત્યારે એકબાદ એક કેસમાં ઉછાળો આવી રહ્યો હોવા તેવું લાગી રહ્યું છે, ત્યારે ઉદ્યોગપતિઓ અને વિદેશથી પરત ફરેલા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
જામનગરમાં વધુ 10 વ્યક્તિઓ કોરોના સંક્રમિત
જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિ અને તેનો પરિવાર થયો હતો કોરોના પોઝિટિવ
સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના સંક્રમિત
જામનગરના ઉદ્યોગપતિનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો
લગ્ન પ્રસંગમાં વિદેશી મહેમાનો પણ હાજર હતા
સૌરાષ્ટ્રમાં કોરોનાનો ફરી કહેર શરૂ થયો છે. જામનગરમાં વધુ 10 કોરોના પોઝિટિવ રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે. જામનગરના ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રાજસ્થાનના જયપુરમાં યોજાયા હતા. આ લગ્ન બાદ જામનગરમાં ઉદ્યોગપતિ અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ઉદ્યોગપતિ જીતુલાલ સહિત તેના ઘરના ચાર સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે વધુ 10 કોરોના પોઝિટિવ આવતા જામનગરવાસીઓની ચિંતા વધી છે.
100 લોકોની યાદી તંત્રને સોંપાઇ
જામનગરના ઉદ્યોગપતિને ખુદ કોરોના થતા ટેસ્ટ માટે અપીલ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોની યાદી તંત્રને અપાઇ છે.
રાજકોટના ત્રણ લોકો પોઝિટિવ, જયુપર અને જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી
તો રાજકોટના પણ ત્રણ લોકો લગ્નમાં ગયા હતા. તેમના પણ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં આવેલ ત્રણ કેસમાંથી એક મહિલા તબીબ પણ છે. જયપુર અને જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારને કોરોના સંક્રમણ થયું છે.
સાથે દ્વારકાના ખંભાળિયાની મહિલા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજસ્થાન લગ્નથી પરત આવ્યા બાદ મહિલા કોરોના પોઝિટિવ આવી છે. દ્વારકાના ખંભાળિયામાં રાજસ્થાનથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાઇ છે. તો મહિલાના સંપર્કમાં આવેલા 15 શખ્સોના ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે.
સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના
જયપુર લગ્નમાં વિદેશથી પણ મેહમાન આવ્યા હતા. લગ્નમાં ગયેલા સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના સંક્રમિત છે. ઉદ્યોગપતિના ઘરના 4 લોકો સહિત સૌરાષ્ટ્રના 37 કોરોનામાં સપડાયા છે.
જામનગર કુલ 3 ઓમિક્રોન પોઝિટિવ કેસ
ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. ઓમિક્રોનના જામનગરમાં વધુ બે પોઝિટિવ કેસો આવ્યા છે. પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા છે. પાંચ દિવસ પૂર્વે 2 વ્યક્તિઓના રિપોર્ટ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા. 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ આવ્યા છે.
ગઇકાલે રાજ્યમાં કોરોનાના 70 કેસ નોંધાયા
મહત્વનું છે કે, રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના 70 કેસ નોંધાયા હતા. જ્યારે 28 દર્દીઓ સાજા થયા હતા. જેમાં અમદાવાદમાં 13, જામનગરમાં 10, સુરતમાં 9, વડોદરામાં 12, નવસારીમાં 5, વલસાડમાં 5, આણંદમાં 4, કચ્છમાં 3, રાજકોટમાં 4, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં કોરોનાથી કુલ 10095 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 817389 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.