જ્મ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળો પર આતંકી હુમલાનો સિલસિલો છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ છે. સોમવારે બારામુલાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. આ આતંકી હુમલામાં એક સ્પેશ્યલ પોલીસ ઓફિસર અને 2 સીઆરપીએફના જવાન શહીદ થયા છે.
જમ્મૂ કાશ્મીરમાં બારામુલાના નાકા પાર્ટી પર આતંકી હુમલો
છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યો છે આતંકી હુમલો
એક સ્પેશ્યલ પોલીસ ઓફિસર અને 2 સીઆરપીએફના જવાન થયા શહીદ
હુમલા બાદ આતંકી ભાગવામાં કામયાબ થઈ ચૂક્યા છે. આખા વિસ્તારને ઘેરી લીધા છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આજે સવારે ક્રેઈરી ક્ષેત્રના નાકા પાર્ટી પર ઊભેલા જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો પર આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં સીઆરપીએફની 119 બટાલિયનના 2 જવાન ઘાયલ થયા છે જેના બાદમાં મોત થયા છે. આ સિવાય જમ્મૂ કાશ્મીર પોલીસના એક ઓફિસરનું પણ મોત થયું છે. આ આતંકી હમામાં 3 જવાન શહીદ થયા છે. આતંકીઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલાં પણ ગયા શુક્રવારે આતંકીઓને સુરક્ષાબળોને નિશાન બનાવ્યું હતું. શુક્રવારે સવારે શ્રીનગરની બહારના વિસ્તારમાં નૌગામ બાઈપાસ પર પોલિસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં 2 પોલીસ કર્મી પણ શહીદ થયા હતા. જમ્મૂ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારના આધારે આ આતંકી હુમલા પાછળ જૈશ એ મોહમ્મદનો હાથ હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓની તરફથી પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલામાં વધારો થયો છે. હજુ પણ 2 દિવસ પહેલાં જ બારામૂલાના સોપોરમાં એક સેનાની ટુકડી પર હુમલો થયો છે. તેમાં એક જવાન ઘાયલ થયો છે. આતંકીઓની તરફથી સેના સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસની પાર્ટી પર હુમલો કરાયો હતો.