આર્ટિકલ 370 રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અને કાનૂન વ્યવસ્થાની સમસ્યાને ધ્યાનમાં રાખી જમ્મૂ કાશ્મીરમાં કરફ્યૂ લગાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 6 અરજી દાખલ કરવામાં આવી છે. જેમા 4 અરજી ગત 24 કલાકમાં દાખલ કરવામાં આવી છે.
ત્રણ અરજી રાષ્ટ્રપતિના આદેશથી આર્ટિકલ 370ને બંધારણમાં એક મૃત પત્ર બનાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. અન્ય અરજી કરફ્યૂ અને ક્ષેત્રમાં તેના પરિણામના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.
નેશનલ કોન્ફરન્સની અરજીમાં આર્ટિકલ 370ની ઉત્પત્તિ અને તેના વિકાસ અને અનુચ્છેદ 35એ વિશે ઘણી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ નિર્માતાઓએ સંઘીય મોડલની પેરવી કરી હતી.
અરજીમાં સ્વરાજ અથવા સ્વશાસનનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે સંઘીય ઢાંચામાં સ્વાયત્ત સ્વશાસનનો અધિકાર એક અનિવાર્ય મૌલિક અધિકાર છે. આ મૂલ્યવાન અધિકારોને 'કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા' વિના એવી રીતે હટાવી દેવામાં આવ્યા છે, જે બંધારણીય નૈતિકતાની પ્રત્યેક કસોટીનું ઉલ્લંઘન કરે છે.
આ પ્રકારે એડવોકેટ્સ દ્વારા દાખલ બે અન્ય અરજીઓ, જેમા એક કાશ્મીરી મૂળની છે. આ અરજીમાં અનુચ્છેદ 370ને અર્થહીન બનાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારવામાં આવ્યો. કાશ્મીર ટાઇમ્સની કાર્યકારી સંપાદક અનુરાધા ભસીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી મીડિયા કર્મીઓ અને ફોટો પત્રકારોના મુક્ત રિપોર્ટિંગ માટે છૂટ આપવાની માંગ કરી છે.
દિલ્હીના એક લૉ ગ્રેજ્યુએટે પોતાના માતા પિતાની જાણકારી માટે અરજી દાખલ કરી છે. આશા છે કે સુપ્રીમ કોર્ટ આ તમામ અરજીઓ પર એક સાથે સુનાવણી કરશે અને સુનાવણીની તારિખ નક્કી કરશે.