કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે કલમ-37૦ હટાવવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર) બનાવવાને કારણે શ્રીનગરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો ભાગ્યે જ તેમના બાળકો અને પરિવારના સભ્યોને મળવા અથવા ઘરે પાછા જવા માટે લિફ્ટ લઇને પહોંચી રહ્યા છે. ઘાટીમાં ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ ઠપ્પ છે.
લોકો કહે છે કે અમને એક બીજાનો સંપર્ક કરવાની છૂટ નથી મળી રહી અને અમને મકાનમાં બંધ કરી દેવામાં આવે છે. જે લાંબા સમયથી શક્ય નથી. શ્રીનગરની હદમાં આવેલા નરબલ રોડ ઉપર લિફ્ટ માંગનાર નિગત નાસિરે જણાવ્યું હતું કે, તેમણે બાળકોને મળવા માટે બારામુલ્લા (60 કિમી દૂર) જવું પડ્યું હતું.
J&K: Schools reopened in Udhampur today. Deputy Commissioner of Udhampur Piyush Singla says,“Section 144 is still imposed, but with some exceptions in certain areas. Security plan is in place. Vulnerable areas are being monitored closely. Markets are also open from 11 AM to 5 PM” pic.twitter.com/V2wgZOkBjB
લોકોનું માનવું છે કે, અમને એક બીજાનો સંપર્ક નથી કરવા દેવામાં આવતો અને અમને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. જે લાંબા સમય માટે શક્ય નથી. શ્રીનગરના બહારના ક્ષેત્ર નારબલ રોડ પર લિફ્ટ માગતી નાસિરે જણાવ્યું કે, તેમને પોતાના બાળકોને મળવા માટે બારામુલા જવું છે.
તેણીએ કહ્યું કે તેના ઘરથી શ્રીનગર જવા માટે 17 કિમી દૂર ચાલીને આવી હતી, ત્યારબાદ તેને એમ્બ્યુલન્સમાં લિફ્ટ મળી, જેણે ઉત્તર કાશ્મીરના પટ્ટન તરફ અડધા રસ્તે ઉતારવાની વાત કરી હતી.
Jammu and Kashmir: Latest visuals from Srinagar as people move about for their daily chores. pic.twitter.com/sVrmaxK8gz
બેમિના હોસ્પિટલમાં દાખલ અને શ્રીનગરના લાલ બજારમાં રહેનાર મોહમ્મદ રમજાનની પણ કાઇક આવી જ વાત છે. રવિવારના રોડ બડગામમાં રહેનારા રમજાનને તેની દિકરીની ચિંતા થઈ અને ફોન કર્યો, રમજાન પોતાની દિકરીને મળવા માટે સોમવારે નિકળી ગયો. જે શ્રીનગરથી 35 કિલોમીટર દૂર આવેલ છે.
નોંધનીય છે કે, બેમિના હોસ્પિટલના ડો. શફકત ભટ્ટે જણાવ્યું કે, રમજાન 12 કિલોમીટર ચાલીને ચક્કર ખાઇને ઢળી પડ્યો. જે બાદ સુરક્ષા વાહન દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો.
આવી તો કેટલીય વાતો છે... પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરનાર મોહમ્મદ શમીમે જણાવ્યું કે, તેમણે 3 લોકો પાસે લિફ્ટ માગીને શ્રીનગર સુધીનો 65 કિલોમીટરનો રસ્તો પૂર્ણ કર્યો. તેમ છતાં તેમને પોતાના ઘરે જવા દેવામાં આવ્યા નથી.
Jammu & Kashmir: DG CRPF, Rajiv Rai Bhatnagar assesses the deployment of CRPF troops in the downtown area of Srinagar. pic.twitter.com/0cSgljWdpg
તેમણે બટ્ટમાલૂ તરફ જતા રોડ પર હાજર પેરામિલેટ્રીના જવાનને પૂછ્યું કે શું આ કર્ફ્યુ છે? અમને કોઇ જગ્યાએ આવવા- જવા કેમ નથી આવી રહ્યા.? અમે કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી નથી કરી રહ્યા તો અમને પરેશાન કેમ કરવામાં આવી રહ્યા છે. આ મામલે એક સીનિયર અધિકારીના હસ્તક્ષેપ કર્યા બાદ શમીમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી.