દેશની કુલ વસ્તીના માત્ર 1 ટકા વસ્તી ધરાવતું રાજય જમ્મૂ કાશ્મીરને લઇને નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા રાજ્યથી આર્ટિકલ 370ને દૂર કરી. જમ્મૂ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું એલાન કરાયું. જમ્મૂ કાશ્મીરની સાથે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવામાં આવ્યો.
આર્ટિકલ 370ને કારણે જ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જે હેઠળ રાજ્યનું પોતાનું કાનૂન હતું અને ત્યાં કોઇ બીજા રાજ્યનો નાગરિક જમીન ખરીદી શકતો નહોતો. જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370ના ખતમ થયા બાદ હવે ત્યાં પણ કાનૂન લાગૂ થશે જે ભારતના બીજા રાજ્યોમાં છે. પાકિસ્તાન સીમાથી જોડાયેલ હોવાથી અને વિશેષ રાજ્યના દરજ્જાને કારણે જમ્મૂ કાશ્મીરને સુરક્ષિત બનાવી રાખવા માટે ભારત સરકારને પોતાની કુલ આવકનો 10 ટકા ભાગ માત્ર આ રાજ્ય પર ખર્ચ કરવો પડતો હતો.
કેન્દ્ર સરકારે ગત 16 વર્ષો (2000-2016) માં પ્રતિ કાશ્મીરી લગભગ 92 હજાર રૂપિયા દર વર્ષે ખર્ચ કર્યા છે, જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પ્રતિ વ્યક્તિ આ ખર્ચ માત્ર 43 હજાર રૂપિયા છે. ઉત્તર પ્રદેશની વસ્તી દેશની કુલ વસ્તીના લગભગ 13 ટકા છે.
નાણા મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં વિશેષ દરજ્જા વાળા 10 રાજ્યોની તુલનામાં કાશ્મીરને 25 ટકા વધારે પૈસ આપવામાં આવ્યા છે. આ 16 વર્ષોમાં કાશ્મીર પર ભારત સરકારે લગભગ 1.14 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે આઝાદી બાદ 70 વર્ષોમાં આ રાજ્યને કેન્દ્ર સરકાર 4 લાખ કરોડથી વધારે પૈસા આપી ચૂકી છે.
આ તો આર્થિક મામલાની વાત થઇ, જો ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો વર્ષ 1988થી 2019 વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલા અને હિંસામાં લગભગ 6500 જવાન શહીદ થયા છે. જ્યારે આ દરમિયાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં 23 હજાર 640 આંતકી માર્યા ગયા છે. આ વર્ષોમાં રાજ્યમાં લગભગ 47 હજાર 235 આતંકી હુમલા અને હિંસા થઇ છે.
જમ્મૂ કાશ્મીરના લોકો માટે ભારત સરકારે હંમેશાથી દિલ ખોલીને પૈસા આપ્યા અને યોજનાઓને કારણે ત્યાં ગરીબી ઓછી કરવા માટે પ્રતિબદ્ધ રહી છે. આંકડા જોઇએ તો વર્ષ 1980માં જમ્મૂ કાશ્મીરની લગભગ 25 ટકા જનતા ગરીબી રેખા નીચે હતી. ગત 20 વર્ષોમાં તે ઘટીને માત્ર 3 ટકા રહી ગઇ છે. 1991-92માં દેશમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 576 રૂપિયા હતો જ્યારે કાશ્મીરમાં એ સમયે પ્રતિ વ્યક્તિ ખર્ચ 3 હજાર 197 રૂપિયા હતો.
ભારતમં રહીને પાકિસ્તાનના સમર્થનમાં વાત કરનાર રાજ્યના અલગાવવાદી નેતાઓની સુરક્ષા પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા હતા. જેમા વધારે પૈસા કેન્દ્ર સરકાર આપતી હતી. કેન્દ્ર સરકાર જ્યા 90 ટકા પૈસા આપતી હતી ત્યાં જમ્મૂ કાશ્મીર સરકાર 10 ટકા પૈસા સુરક્ષા પર ખર્ચ કરતી હતી. જોકે, સરકારે ગત વર્ષે અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવી દીધી હતી.
ભૌગોલિક, સામાજીક અને દેશની અખંડતા અને સુરક્ષાની દ્રષ્ટીએ જમ્મૂ કાશ્મીર ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. પ્રાકૃત્તિક સંસાધનોથી પૂર્ણ આ રાજ્યમાં હિમાલયની ટોચ ભારતને કમાન્ડિગ હાઇટ્સ આપે છે જેથી દેશ પોતાના દુશ્મનો પર નજર રાખે છે.