કૃષિ કાયદાને લઈને સરકાર તરફથી કોઈ ખાસ નિર્ણય ન આવવાા કારણે ખેડૂતો આજે કેન્ડલ માર્ચ કરશે અને 18મીએ રેલ રોકો આંદોલન પણ કરશે.
કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલનનો મામલો
આજે ખેડૂતો દેશભરમાં કેન્ડલ માર્ચ કાઢશે
પુલવામા શહીદોની યાદમાં કેન્ડલ માર્ચ કાઢશે
संयुक्त किसान मोर्चा पूरी तरह से एकजुट है। 23 फरवरी तक के कार्यक्रम निर्धारित हैं, जिन पर हम काम कर रहे हैं। आंदोलन पूरी मजबूती से चलता रहेगा, हम अपनी रणनीति बना रहे हैं। किसानों को हताश होने की जरूरत नहीं है: किसान नेता राकेश टिकैत#FarmersProtestpic.twitter.com/l4SZ5EMvv3
કૃષિ સુધાર કાયદાના વિરોધમાં કેન્દ્ર સરકારની તરફથી કોઈ ખાસ નિર્ણય ન આવવાના કારણે ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું છે. ખેડૂતો રવિવારે કેન્ડલ માર્ચ કાઢશે અને સાથે જ જાહેરાત કરી છે કે તેઓ 18 ફેબ્રુઆરીએ રેલ રોકશે. આ વાતની જાણકારી શનિવારે દોઆબા કિસાન સંધર્ષ કમિટિના ઉપપ્રધાન મુકેશ ચંદ્રએ પંજાબ પ્રેસ ક્લબમાં આપી હતી. તેઓએ કહ્યું કે રવિવારે સાંજે સાડા પાંચ વાગે ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સત્રા માડલ ટાઉનથી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચ ગુરુદ્વારા સાહિબથી નીકળશે અને માડલ ટાઉન માર્કેટ થઈને ગુરુદ્વારા સાહિબમાં સંપન્ન કરાશે. આ સાથે મહાપંચાયત યોજાશે અને સંયુક્ત મોર્ચાની તારીખ પણ નક્કી કરાશે.
તેઓએ શહેરના લોકોને કેન્ડલ માર્ચમાં પરિવાર સહિત ભાગ લેવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારની વિરોધમાં રોષ વ્યક્ત કરવા માટે તેઓ 18 ફેબ્રુઆરીએ કાળા બકરા પાસેના ગામ નિઝામદીનપુરમાં બપોરે 12-4 સુધી રેલ રોકશે. કિસાન શાંતિમય રીતે રેલ્વે ટ્રેક પર બેસીને વિરોધ દેખાડશે. આ સમયે એમ પણ કહેવાયું છે કે પ્રવાસી ભારતીય દતાર સિંહ સંધવાલે કહ્યું કે આવનારા સમયમાં કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કાયદા પરત નહીં લીધા તો દોઆબાથી 300 ગાડીઓનો કાફલો દિલ્હી આવશે.