સુરતની જાણીતી યાર્ન ઉત્પાદક કંપનીમાં IT વિભાગના દરોડા, ત્રણ ઓફિસમાં IT વિભાગના દરોડામાં 3.3 અબજના બિનહિસાબી વ્યવહારો મળ્યા
સુરતની યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા
કંપનીની ત્રણ ઓફિસમાં IT વિભાગના દરોડા
રૂ.330 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આવકવેરા વિભાગે સુરતમાં જાણીતા યાર્ન ઉત્પાદકોના ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરતની જાણીતી યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા
સુરતમાં સેલવાસ અને દહેજના પ્લાન્ટ પર IT વિભાગની ટીમ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 330 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે એટલું જ નહી 154 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન આંગડિયા પેઢી મારફતે કરાયું હોવાનું ખુલ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા દસ્તાવેજો અને ડિજિટલ માહિતી પણ કબ્જે કરવામાં આવી છે. જ્યારે તપાસમાં જ્વેલરી અને 11 બેંકમાં મુકેલી રકમ પણ મળી આવી છે.
કંપનીની ત્રણ ઓફિસમાં IT વિભાગના દરોડા
મહત્વનું છે કે દિલ્હી આવકવેરા વિભાગ અને અમદાવાદ ITની ટીમ દ્વારા ગુરુવારે સવારથી જ યાર્ન ઉત્પાદકની ત્રણ કંપનીની ઓફિસોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં હતી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી મેળવી તપાસ કરવામાં આવતા બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા.
સેલવાસ અને દહેજના પ્લાન્ટ પર પણ દરોડા
આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડીઆઈ વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે ગુજરાતની પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપની રોકડમાં મોટા પાયે યાર્નનો કાચો માલ ખરીદી રહી છે. એટલું જ નહીં, યાર્ન બનાવ્યા બાદ કંપની કોઈ પણ બિલ વગર બજારમાં માલ વેચી રહી છે. કંપનીના સંચાલકોએ પણ ઘણા મોટા રોકાણ કર્યા છે.
દિલ્હી અને અમદાવાદ IT ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
આ કંપની શેરબજારમાં પણ લિસ્ટેડ છે તેમજ કંપનીના સંચાલકો દિલ્હીથી રિટર્ન ફાઈલ કરે છે હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે IT દ્વારા કંપનીના સંચાલકોની પૂછપરછની તજવીજ હાથ ધરાઈ છે સમગ્ર મામલે આવકવેરા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.