આ ટર્મિનલ અહીંથી હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે અને એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા તેમજ ચેક-ઈન અને ઈમિગ્રેશન માટેના કાઉન્ટરોને બમણી કરશે.
રૂ.5000 કરોડના ખર્ચે તૈયાર થયેલ ટર્મિનલ કે જાણે બગીચામાં ચાલતા હોય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 નવેમ્બરના રોજ બેંગલુરુમાં કેમ્પેગૌડા એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરશે. વિગતો મુજબ તે લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ અહીંથી હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે અને એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા તેમજ ચેક-ઈન અને ઈમિગ્રેશન માટેના કાઉન્ટરોને બમણી કરશે.
બેંગલુરુમાં કેમ્પેગૌડા એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા હાલમાં વાર્ષિક ધોરણે 25 મિલિયન છે, જે ટર્મિનલ 2 દ્વારા વાર્ષિક ધોરણે વધીને લગભગ 5-6 મિલિયન થશે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી તે જ દિવસે ઈન્ટરનેશનલ એરપોર્ટ કોમ્પ્લેક્સમાં સ્થાપિત બેંગલુરુના સંસ્થાપક કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરશે.
બેંગલુરુ એરપોર્ટ પહેલાથી જ સમગ્ર કેમ્પસમાં રિન્યુએબલ એનર્જીના 100% ઉપયોગ સાથે બેન્ચમાર્ક સેટ કરી ચૂક્યું છે. આ નવા બનેલા ટર્મિનલ 2ની તસવીરો પણ સામે આવી છે જે ખૂબ જ આકર્ષક લાગે છે. હેંગિંગ ગાર્ડન, લીલુંછમ ઘાસ અને ફૂલોથી શણગારેલી દિવાલોની આ તસવીરો એક અલગ જ અહેસાસ કરાવે છે.
With the inauguration of T2, passenger handling capacity as well as counters for check-in and immigration will double. It will be able to handle around 5-6 crore passengers annually from 2.5 crore currently. pic.twitter.com/PRk0ao1Dy3
કેમ્પેગૌડા એરપોર્ટનું ટર્મિનલ 2 બેંગ્લોરના ગાર્ડન સિટીની જેમ જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટર્મિનલની મુલાકાત લેનારા મુસાફરોને બગીચામાં ચાલવા જેવું લાગશે. અહીં 10,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં પ્રવાસીઓને લીલીછમ દિવાલો, હેંગિંગ ગાર્ડન્સ અને આઉટડોર ગાર્ડન્સમાંથી પસાર થતા જોવા મળશે. આ બગીચા ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.