મિથીલાંચલ સહિત બિહારના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર છે. ઇંડિયન રેલવે કેટરિંગ એન્ડ ફૂડ ટૂરિઝમ કોર્પોરેશને ભક્તોને દેશના ઘણા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે સ્વદેશ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું એલાન કર્યું છે. સમસ્તીપૂર રેલમંડળના દરભંગા સ્ટેશનથી 11 દિવસોની યાત્રા માટે 10 ઓકટોબરના રોજ આ ટ્રેન તીર્થ સ્થળો માટે રવાના થશે.
IRCTC શ્રદ્ધાળુઓ માટે સબસિડી હેઠળ ઓછા બજેટમાં આ પેકેજ ફેસ્ટિવલને ધ્યાનમાં રાખતા શરૂ કરવાનું પ્લાન કર્યું છે.
આ ટ્રેનમાં સાફ સફાઇ સુરક્ષાની વ્યવસ્થા જાળવવા માટે પણ ઘણી સગવડો કરવામાં આવી છે. આ સ્વદેશ સ્પેશિયલ ટ્રેન શ્રદ્ધાળુઓને તીર્થ સ્થળોના દર્શન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વખતે આઈઆરસીટીસી સ્લીપર ક્લાસ કોચ ઉપરાંત એસી કોચ સાથે સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે. એટલું જ નહીં, દરેક કોચમાં ટૂરિસ્ટ ગાઈડ પણ હશે જે તીર્થ સ્થળોની વિશેષતાઓ જણાવશે. આ સ્વદેશ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
બિહારમાં શ્રદ્ધાળુઓની વિશેષ માંગ અને આઈઆરસીટીસીના ગ્રુપ મેનેજર ઝફર આઝમનાં નિર્દેશનમાં સ્વદેશ ટ્રેન ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. આઈઆરસીટીસીના ક્ષેત્રીય પ્રબંધક રાજેશ કુમારે જણાવ્યું કે આ ટ્રેન 10 ઓકટોબરના રોજ દરભંગાથી 4 વાગ્યે સાંજે ખુલશે, જે મુઝફ્ફરપુરમાં રોકાયા બાદ સીધી પટલીપુર સ્ટેશન પર ઉતરશે. સ્વદેશ દર્શન ટ્રેન યાત્રીઓને તીર્થ સ્થળોનાં દર્શન કરાવતા આ ટ્રેન 20 ઓકટોબરના રોજ પરત આવશે.
શિરડી અને જ્યોતિર્લિંગ સહિત ઘણા તીર્થ સ્થળોના દર્શન કરવા મળશે
IRCTCએ સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેનથી 11 દિવસોમાં યાત્રીઓને મહત્વપૂર્ણ તીર્થ સ્થળોના દર્શન કરાવવાનો પ્લાન કર્યો છે. આ વખતે દરભંગાથી ખૂલનાર ટ્રેન ઉજ્જૈનમાં મહાકાલેશ્વર, ૐકાળેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, સોમનાથ, શિરડી, શનિ શિંગળાપૂર અને નાસિકમાં ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવશે.
10 રાત અને 11 દિવસની હશે યાત્રા
આઈઆરસીટીસી સ્વદેશ દર્શન ટ્રેનથી તીર્થ સ્થળોના દર્શન કરાવ્યા બાદ 20 ઓકટોબરના રોજ યાત્રીઓ પરત ફરશે. ક્ષેત્રીય પ્રબંધક રાજેશ કુમારે જણાવ્યું કે આ સમગ્ર યાત્રા 10 રાત અને 11 દિવસની હશે. આ વખતે IRCTCએ યાત્રીઓની માંગ પર સ્વદેશ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સાથે સાથે એસી કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહીં, આ વખતે શ્રદ્ધાળુઓને ધરમશાળાની જગ્યાએ હોટલ રૂમની પણ સુવિધા મળશે. આનું કુલ ભાડું સબસિડી સાથે સ્લીપર ક્લાસનાં 18450 અને એસીના 29620 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સાથે જ સમસ્તીપૂરનાં ભક્તો માટે આઈઆરસીટીસીએ વિશેષ સગવડ પણ આપી છે. તેમણે બસથી દરભંગા કે મુઝફ્ફરપુરથી બોર્ડિંગની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, ગ્રુપ બુકિંગ કવા પર પ્રત્યેક વ્યક્તિ 500 રૂપિયા છૂટ આપવાનું પણ એલાન કર્યું છે. આની વિશેષ જાણકારી માટે IRCTCએ હેલ્પલાઈન નંબર 9771440056 આપ્યો છે.
ટ્રેનમાં ભજન કીર્તન સાથે મળતી સુવિધાઓ
સ્વદેશ દર્શન ટ્રેનમાં શ્રદ્ધાળુઓને સ્લીપર અને એસી ક્લાસથી યાત્રા કરાવવામાં આવશે. આઈઆરસીટીસીના સંજીવ કુમારે જણાવ્યું કે આ ટ્રેનમાં શાકાહારી ભોજન, પાણીની બોટલ સાથે હોટલ અને ફરવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કોચમાં સિક્યોરીટી ગાર્ડ તથા ટૂર એસ્કોર્ટ ઉપલબ્ધ હશે. આનું બુકિંગ શરૂ થઈ ગયું છે.