140 વર્ષ જૂની દાર્જિલિંગ હિમાલયન રેલવે (DHR)થી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છિનવાઇ જઇ શકે છે. વાત એમ છે કે ભારત તરફથી કથિત રીતે આ રેલવે નેટવર્કને સંરક્ષિત કરવાની દિશામાં પર્યાપ્ત પગલા ન ઉઠાવવાને કારણે યૂનેસ્કોએ હવે એ જાણવાની કોશિશ કરવામાં લાગેલું છે કે, શું તેને વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપવો યોગ્ય રહેશે કે નહીં.
યૂનેસ્કો હવે આ રેલ નેટવર્કને હવે આ રેલ નેટવર્કની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણવાની સ્થિતિમાં પગલુ ઉઠાવશે. આપને જણાવીએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટને સંરક્ષિત કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાને લઇને ઇન્ડિયન રેલવે તરફથી આપવામાં આવેલા જવાબથી યૂનેસ્કોને સંતોષ નથી. સંસ્થા હવે એક્સપર્ટ્સની એક ટીમ અટલે કે પોતાની રિએક્ટિવ મોનિટરીંગ ટીમને દાર્જિલિંગ મોકલશે.
આ એક્સપર્ટ યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ કમિટી એન્ડ ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યૂમેન્ટ્સ એન્ડ સાઇટ્સથી જોડાયેલા છે. આ ટીમ ઇ્ડિયન રેલવે સાથે મળીને આ રેલ નેટવર્કની હાલતની તપાસ કરશે. ટીમ આ ધરોહરને વધારે નુકશાન પહોંચવાની દિશામાં લેવામાં આવનાર એક્શન અંગે રેલવેને સલાહ આપશે.
આપને જણાવીએ કે ભારતીય રેલવે આ ધરોહર સાથે જોડાયેલી સંપત્તિઓ પાટા, ઇમારત, બ્રિજ ઉપરાંત એન્જિન અને ડબ્બાઓને સંરક્ષિત કરવામાં સંઘર્ષ કરી રહી છે.