અમેરિકા હુમલામાં ઇરાનના ટૉપ મિલિટ્રી કમાન્ડર કાસિમ સુલેમાનીની મોતથી અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા જોવા મળી રહ્યાં છે. આ પરિસ્થિતિએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે.
નાણા મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે બેઠક
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ઉપર ચર્ચા કરવામાં આવી
અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા
બંને દેશ વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રલાય વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ, જેમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ઉપર ચર્ચા કરવામાં આવી.
પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે પણ એક આંતરિક બેઠક યોજાઇ. ત્યારબાદ નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ભારતમાં તેલની સપ્લાય પરની અસર તેમજ ભારતની લોનની સ્થિતિ પર તેની અસર અંગે વાતચીત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ઇરાક, સાઉદી અરબ, ઇરાન અને યુએઇ ભારતને તેલ નિકાસ કરે છે. આમ જો અમેરિકા અને ઇરાન વચ્ચે કોઇપણ પ્રકારનો તણાવ વધે છે અને વાત યુદ્ધ સુધી પહોંચે છે તો ભૌગોલિક કારણોસર ભારતને તેલ નિકાસ કરનારા દેશ પર તેની અસર પડી શકે છે. જેને લઇને એવુ માનવામાં આવી રહ્યું છે કે તેની અસર ક્રૂડની કિંમતો પર પડી શકે છે અને 10 ડોલર પ્રતિ બેલર વધી શકે છે.
જેને લઇને ભારતની ગ્રોથ ટકાવારીમાં પણ 0.2થી 0.3 ટકાનો નેગેટિવ પ્રભાવ પડી શકે છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય રિફાઇનરી ટેકનિકલ અને વેપારી પહેલુ અને લોકલને ધ્યાનમાં રાખી અલગ-અલગ દેશમાંથી ક્રૂડ નિકાસ કરે છે. OPEC દેશોમાંથી ગત વર્ષે ક્રૂડ આયાત કરવામાં ઘટાડો જોવા મળ્યો છે.