પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલને નહી લઈ જઈ શકાય : હસમુખ પટેલ
પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહીઓ પેક થશે
LRDની આવતીકાલે લેખિત પરીક્ષા
રાજ્યમાં આવતીકાલે લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પરીક્ષા મામલે રાજ્યના આઈપીએસ અધિકારી હસમુખ પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ ઉમેદવાર મોબાઈલને નહી લઈ જઈ શકે. આ વખતે બાયો મેટ્રિકથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકાશે . તેમજ આ વખતે ઉમેદવારો માટે પરીક્ષા ખંડ માંજ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહીઓ પેક થશે
ગેરરીતિ અટકાવવા માટે તંત્ર સજ્જ બન્યુ
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પરિક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવ્યું છે.જે માટે DGPએ તમામ પોલીસ મથકોને જરૂરી સુચનો કર્યા છે. તેમજ ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપી શકે એ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે આ વખતે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ચલાવી લેવામાં નહી આવે.તેમજ પારદર્શક પદ્ધતિથી જ પરીક્ષા યોજવામાં આવશે.તેમજ OMR સીટનુ 24 કલાકમાં સ્કેનિંગ કરીને ઓનલાઈન મુકીશું