બેલ્જિયમની ટોચના બાયોલોજિસ્ટ ટોમ વેંસલિયર્સે દાવો કર્યો છે કે ભારતનું કોરોનાનું વેરિયન્ટ દુનિયાનું ખતરનાક વેરિયન્ટ છે અને દેશને તબાહીથી બહાર આવતા વર્ષો લાગશે
બેલ્જિયમની ટોચના બાયોલોજિસ્ટ ટોમ વેંસલિયર્સે દાવો
ભારતનું વેરિયન્ટ દુનિયાનું ખતરનાક વેરિયન્ટ
ભારતને કોરોનાથી તબાહિમાંથી બહાર આવતા વર્ષો લાગશે
એક ઈન્ટરવ્યુમાં બાયોલોજિસ્ટ ટોમ વેંસલિયર્સે જણાવ્યું કે ભારતનું નવું વેરિયન્ટ અત્યંત ચેપીલું અને ખતરનાક છે. ભારતનું આ સ્વરુપ ઝડપથી ફેલાય છે. આ સ્વરુપ બ્રિટનના સ્વરુપ જેવું જ છે. રાજકીય પાર્ટીઓની રેલીઓ, મોટી ભીડ તથા કોવિડ નિયમોની અવગણનાને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ છે.
કોરોનાએ અચાનક વિસ્ફોટ કર્યો
તેમણે કહ્યું કે શિયાળામાં ભારતની સ્થિતિ કાબૂમાં હતી. કોરોના સંક્રમિતોની સંખ્યા સ્થિર હતી. ત્યાં સુધી કે કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો હતો. પરંતુ ફેબ્રુઆરીના મધ્યમથી માર્ચની શરુઆત સુધી સ્થિતિ બદલાઈ ગઈ. કોરોનાએ અચાનક વિસ્ફોટ કર્યો. હવે ભારત કોરોનાની એક ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે.
કોવિડ નિયમોની અવગણના જવાબદાર
જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે.
યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જોઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.
ભારતે આ બે કામ કરવા પડશે
લાન્સેટના પાદકિય લેખમાં સલાહ અપાઈ છે કે ભારતે બે પ્રકારની રણનીતિ પર કામ કરવું પડશે. પહેલી રણનીતિ વેક્સિનેસન કેમ્પેઈનમાં ઝડપ લાવવી પડશે અને બીજી SARS-CoV-2 નો ફેલાવો રોકવો પડશે. સરકારે સાચો ડેટા લોકોને આપવા પડશે અને લોકોને કહેવું પડશે કે શું થઈ રહ્યું છે. લોકડાઉન અંગે પણ સ્થિતિ સ્પસ્ટ કરવી પડશે.
સૌથી વધારે જવાબદારી કેન્દ્ર સરકારની
એડિટોરિયલ લેખમાં જણાવાયું છે કે મહામારીના સંકટની વચ્ચે ટીકા અને ચર્ચાને પૂરી કરવા માટે પ્રધાનમંત્રી મોદીના એક્શન અક્ષમ્ય છે. મોદી સરકારે તેની ભૂલોની જવાબદારી લેવી જોઈએ. સ્થાનિક સરકારોએ બીમારી રોકવા માટે પગલાં ઉઠાવ્યાં પરંતુ લોકોને માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું, મોટા સામાજિક અને રાજકીય કાર્યક્રમો ન કરવાનું સમજાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશનના અનુમાન અનુસાર ઓગસ્ટ સુધીમાં ભારતમાં 10 લાખ મોત થઈ શકે છે. જો આવું થયું તો મોદી સરકાર જાતે પેદા કરેલી રાષ્ટ્રીય આપદા માટે જવાબદાર હશે.