ભારતીય રેલવેમાં પ્રવાસ કરનારા લોકો માટે ખૂબ કામની વાત છે. રેલવેના પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. રેલવેએ પ્રવાસીઓ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે કડક વલણ અપનાવ્યું છે.
ભારતીય રેલવેમાં પ્રવાસ કરનારા લોકો માટે કામની વાત
પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે કડક પગલું ઉપાડ્યુ
જો કોઈ જ્વલનશીલ વસ્તુ લઈ જતા પકડાશે તો તેને થશે જેલ
રેલવેએ ટ્વિટ કરી કહી આ વાત
રેલવેએ તેના માટે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. રેલવેએ ટ્વિટ કરી જણાવ્યું છે કે ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન કોઈ પણ પ્રવાસી આગ લગાવનારી સામગ્રી જાતે પણ ના લઈ જાય અને કોઈને લઈ જવા પણ ના દે, આ એક સજાપાત્ર ગુનો છે. જો કોઈ પ્રવાસી આવુ કરતા પકડાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહીની સાથે-સાથે તેને જેલ પણ થઇ શકે છે. પશ્ચિમ મધ્ય રેલવેએ કહ્યું કે ટ્રેનમાં આગ ફેલાવવી અથવા જ્વલનશીલ વસ્તુઓ લઇ જવી રેલવે અધિનિયમ, 1989ની કલમ 164 અંતર્ગત સજાપાત્ર ગુનો છે, જેના માટે પકડાયેલા આરોપીને 3 વર્ષ સુધીની જેલ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા આપી શકાય છે.
કઈ-કઈ વસ્તુઓ છે પ્રતિબંધિત
રેલવે તરફથી જાહેર થયેલા આદેશ મુજબ, હવે પ્રવાસી ટ્રેનના ડબ્બામાં કેરોસિન, સુકુ ઘાસ, સ્ટોવ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા અથવા આગ ફેલાવતી કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઇને યાત્રા ના કરી શકે. રેલવેએ પ્રવાસીઓના સફરને સુરક્ષિત બનાવવા માટે આ કડક પગલુ ઉઠાવ્યું છે.