વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે તેઓએ દેશને સંબોધિત કર્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને કર્યું સંબોધીત
દેશવાસીઓ અને જનપ્રતિનિધિઓનો આભાર માન્યો
યુવા પેઢીઓને આપ્યા માર્ગદર્શક સિધાંત
વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે તેઓએ દેશને સંબોધિત કર્યા છે. એમણે કહ્યું હતું કે, "પાંચ વર્ષ અગાઉ આપ સૌએ મારામાં અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફતે મને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યો હતો. હું આપ આપ સૌ દેશવાસીઓનો, તમારા જનપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.
LIVE: President Kovind addresses the nation on the eve of demitting office https://t.co/RonFNeCIAG
— President of India (@rashtrapatibhvn) July 24, 2022
પોતાના મૂળ સાથે જોડાયેલ રહેવું જોઈએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાનપુર દેહાત જિલ્લાના પરૌંખ ગામના સાવ સામાન્ય પરિવારમાં ઉછરેલા રામનાથ કોવિંદ આજે આપ સૌ દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે, આ માટે હું આપણા દેશની જીવંત લોકશાહી વ્યવસ્થાની શક્તિને નમન કરું છું. રાષ્ટ્રપતિના કાર્યકાળમાં મારા વતનની મુલાકાત લેવી અને મારી કાનપુરની શાળાના પીઢ શિક્ષકોના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે. તેમણે કહ્યું હતું કે, પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હું યુવા પેઢીને અનુરોધ કરીશ કે તેઓ પોતાના ગામ, નગર, પોતાની શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલા રહેવાની આ પરંપરાને આગળ ધપાવે.
अपनी जड़ों से जुड़े रहना भारतीय संस्कृति की विशेषता है। मैं युवा पीढ़ी से यह अनुरोध करूंगा कि अपने गाँव या नगर तथा अपने विद्यालयों तथा शिक्षकों से जुड़े रहने की इस परंपरा को आगे बढ़ाते रहें। pic.twitter.com/mX3ErR8tSW
— President of India (@rashtrapatibhvn) July 24, 2022
સ્વતંત્રતાના નાયકોને યાદ કર્યા
19મી સદી દરમિયાન સમગ્ર દેશમાં ગુલામીની વિરુદ્ધમાં ઘણા બળવા થયા હતા. દેશવાસીઓમાં નવી આશાનો સંચાર કરનારા આવા વિદ્રોહના મોટા ભાગના વીરોના નામ ભૂલાઈ ગયા હતા. હવે તેમની વીરગાથાઓને આદરપૂર્વક યાદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, તિલક અને ગોખલેથી માંડીને ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીથી માંડીને સરોજિની નાયડુ અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય સુધી, આવી અનેક હસ્તીઓ – માત્ર એક જ ધ્યેય માટે તૈયાર રહેવા માટે, માનવતાના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા મળ્યો નથી.
तिलक और गोखले से लेकर भगत सिंह और नेताजी सुभाष चन्द्र बोस तक; जवाहरलाल नेहरू, सरदार पटेल और श्यामा प्रसाद मुकर्जी से लेकर सरोजिनी नायडू और कमलादेवी चट्टोपाध्याय तक - ऐसी अनेक विभूतियों का केवल एक ही लक्ष्य के लिए तत्पर होना, मानवता के इतिहास में अन्यत्र नहीं देखा गया है। pic.twitter.com/wcn5g5DAHA
— President of India (@rashtrapatibhvn) July 24, 2022
આગળ મહાનુભાવોના પગલે ચાલવાનું છે
તેમણે કહ્યું હતું કે, "આપણો દેશ 21મી સદીને ભારતની સદી બનાવવા માટે સક્ષમ બની રહ્યો છે, આ મારો દ્રઢ વિશ્વાસ છે. આપણા પૂર્વજો અને આપણા આધુનિક રાષ્ટ્ર-ઘડવૈયાઓએ તેમની સખત મહેનત અને સેવાભાવના દ્વારા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોને વળગી રહ્યા હતા. આપણે ફક્ત તેમના પગલે ચાલવું પડશે અને આગળ વધતા રહેવું પડશે. બંધારણ સભામાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનારા અનેક મહાનુભાવોમાં હંસાબેન મહેતા, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃત કૌર અને સુચેતા કૃપલાણી સહિત 15 મહિલાઓનો સમાવેશ થાય છે. બંધારણ સભાના સભ્યોના અમૂલ્ય યોગદાનથી નિર્મિત ભારતનું બંધારણ, એ આપણું પ્રકાશ સ્તંભ રહ્યું છે.
કાર્યકાળ દરમિયાન સભાન રહ્યો છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા કાર્યકાળના પાંચ વર્ષ દરમિયાન મેં મારી જવાબદારીઓને મારી ક્ષમતા પ્રમાણે નિભાવી છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. એસ. રાધાકૃષ્ણન અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવી મહાન વિભૂતિઓના ઉત્તરાધિકારી બનવા માટે હું ખૂબ સભાન રહ્યો છું. કલાઈમેટ પરિવર્તનની કટોકટી આપણી ઘરતીના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. આપણે આપણા બાળકો માટે આપણા પર્યાવરણ, આપણી જમીન, હવા અને પાણીનું રક્ષણ કરવું પડશે. હું તમામ દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતાને નમન કરૂં છું, હું આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું.