નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના વિવાદિત વેણ બોલ્યા છે. તેમણે અલ્પસંખ્યોકોની વસ્તી અંગે ટિપ્પણી કરીને વિવાદને આમંત્રણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના બાગપતમાં એક કાર્યક્રમમાં ગિરિરાજ સિંહ બોલ્યા કે દેશમાં અલ્પસંખ્યકની વ્યાખ્યા બદલવાની જરૂર છે.
કારણ કે કેટલીક જગ્યાએ 90 ટકા વસ્તી હોવા છતાં અલ્પસંખ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે ગિરિરાજ સિંહ બોલ્યા કે ભારતના મુસ્લિમો રામના વંશજ એટલે તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં સહકાર આપવો જોઇએ.
આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં સતત વસ્તી વધારો થઇ રહ્યો છે. જે અંગે સરકારે કાયદો બનાવવો જોઇએ. તેનું પાલન ન કરનાર શખ્સ પાસેથી મતાધિકાર પણ છીનવી લેવામાં આવે.