વર્ષ 2023માં ભારત સરકાર ફ્રીમાં લેપટોપ વિતરણ સ્કીમ લઇને આવી છે આ વાયરલ દાવાનું સત્ય શું છે. પ્રેસ ઇન્ફોરમેશન બ્યૂરો તરફથી જાહેર કરવામાં આવી છે કે, વાયરલ ન્યૂઝ ફેક છે
ભારત સરકાર આપે છે ફ્રીમાં લેપટોપ?
સોશિયલ મીડિયા પર વયારલ થઇ પોસ્ટ
શું છે વાયરલ ન્યૂઝનું સત્ય
સોશિયલ મીડિયા પર હાલમાં એક નોટિસ વાયરલ થઇ રહી છે કે, ભારત સરકાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ફ્રીમાં લેપટોપનું વિતરણ કરે છે. લો તેનો લાભ.. શું ખરેખરમાં ભારત સરકાર દ્વારા આવી કોઇ સ્કિમની જાહેરાત કરવામાં આવી છે?
વાયરલ દાવાનું સત્ય શું
દેશમાં રહેનારા દરેક વર્ગનાં વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ લઇને આવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ દરેક રીતે લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હોય છે. આ ક્રમમાં હાલમાં સોશિયલ મીડિયા પર એક નોટિસ ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. જે અંગે દાવો કરવામાં આવ્યો છે. હવે આ વાયરલ દાવો છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ 2023માં ભારત સરકાર ફ્રીમાં લેપટોપ વિતરણ સ્કીમ લઇને આવી છે. આ વાયરલ દાવાનું સત્ય શું છે. તે અંગે અમે તપાસ કરી. કારણ કે હાલમાં સરકારનાં નામે કોઇપણ ફેક જાહેરાત કરતું થઇ ગયું છે. અને સામાન્ય જનતાનો ગેરફાયદો ઉઠાવે છે.
A notice is circulating on social media that claims that the Government Of India is offering free laptops to youth under the Prime Minister Free Laptop Scheme 2023#PIBFactCheck
સરકાર તરફથી નથી થઇ કોઇ જહેરાત
સોશિયલ મીડિયા પર એક નોટિસ મુજબ ભારત સરકારે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ સ્કીમ 2023-24 લોન્ચ કરી છે. જે હેઠળ ભારતનાં તમામ રાજ્યોનાં વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ સ્કીમની વેબસાઇટ પર અપ્લાય કરવાનું રહેશે. જેની લિંક પણ આપવામાં આવી છે.. www.pmflsgovt.in નોટિસની નીચે ભારત સરકારની સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગનો સિક્કો પણ નજર આવે છે. આ જોઇને કોઇને પણ લાગે કે આ સમાચાર સાચા છે.પણ સત્ય કંઇક અલગ છે.
વાયરલ ન્યૂઝ ફેક છે
આ વાયરલ નોટિસને ફેક્ટ ચેક પીઆઇબી એ નકારી કાઢી છે. પીઆઇબી દ્વારા તેમનાં ઓફિશિયલ ટ્વટિર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ દાવો સંપૂર્ણ ફરજી છે. પીઆઇબી ફેક્ટ ચેક દ્વારા નોટિસની તસવીર શેર કરવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે કે, 'સોશિયલ મીડિયા પર એક નોટિસ જાહેર થઇ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત સરકાર પ્રધાનમંત્રી મફત લેપટોપ યોજના 2023 હેઠળ યુવાઓને મફત લેપટોપ આપે છે. આ નોટિસ નકલી છે. ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય તરફથી આવી કોઇ જ યોજના ચલાવવામાં આવતી નથી.'
આ પહેલાં અખિલેશ યાદવ દ્વારા તેમનાં મત વિસ્તારની સરકારી શાળાઓમાં મફત લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને કર્ણાટકમાં પણ જયલલિતાની જ્યારે સરકાર હતી તે સમયે સરકારી શાળાઓમાં મફત લેપટોપનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. પણ તેને હાલમાં વાયરલ થયેલાં સમાચાર સાથે કોઇ જ સંબંધ નથી.