જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ક્લિનને અખત્યાર કરીને સુરક્ષાદળો આતંકીઓને વીણી-વીણીને હણી રહ્યા છે.
કશ્મીરમાં `ઓપરેશન ક્લિન'
ચાલું વર્ષે કશ્મીરમાં 78 આતંકીઓ ઠાર કરાયાં
ચાલું વર્ષે લશ્કર-એ-તૈયબાના 39 આતંકીઓ ઠાર
જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ક્લિનને અખત્યાર કરીને સુરક્ષાદળો આતંકીઓને વીણી-વીણીને હણી રહ્યા છે. જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓના એન્કાઉન્ટરનો સિલસિલો ચાલું છે. સેનાના જવાનોએ શુક્રવારે લશ્કરે તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા હતાં. જમ્મૂ-કશ્મીરમાં ચાલુ વર્ષે 78 આતંકવાદીઓને ઠાર કરાયાં.
છેલ્લાં કેટલાંક સમયથી જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ફરી સક્રિય બની છે. હાલમાં કેટલીક જગ્યાએ આતંકીઓએ ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસો પણ કર્યા. નવી-નવી મોડસ ઓપરેન્ડી અજમાવીને કશ્મીરમાં આતંક ફેલાવવાની આતંકીઓની યોજના પર સુરક્ષાદળોએ પાણી ફેરવી દીધું છે.
જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ક્લિનને અખત્યાર કરીને સુરક્ષાદળો આતંકીઓને વીણી-વીણીને હણી રહ્યા છે. જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓના એન્કાઉન્ટરનો સિલસિલો ચાલું છે. સેનાના જવાનોએ શુક્રવારે લશ્કરે તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા હતાં. શ્રીનગરના દનમાર વિસ્તારમાં અથડામણ દરમિયાન આ બે આતંકી ઠાર મરાયા છે.
છેલ્લાં કેટલાંક દિવસોમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનો રીતસર સફાયો કર્યો છે. છેલ્લાં 9 દિવસોમાં 16 અથડામણોમાં 24 આતંકી ઠાર થયાં હતાં. જમ્મૂ-કશ્મીરમાં ચાલુ વર્ષે 78 આતંકવાદીઓને ઠાર કરાયાં. જેમાં ઠાર મરાયેલા કુલ આતંકીઓમાં 39 આતંકી લશ્કર-એ-તૈયબાના હતા. જ્યારે અન્ય આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દી, અલબ-બદર, જૈશ-એ-મહમ્મદના હતાં.
કશ્મીરમાં આતંકવાદીઓની ગતિવિધિને લઈ ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી પાકિસ્તાન કશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધારી રહ્યું છે. ત્યારે આ સમસ્યાને જડમૂળમાંથી દૂર કરવા માટે પાકિસ્તાનને જ સબક શીખવવો જરૂરી છે.
આમ, જમ્મૂ-કશ્મીરની આતંકવાદી સમસ્યાના મૂળમાં પાકિસ્તાન રહેલું છે. જ્યાં સુધી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત આવે તેમ નથી. જોકે, ઘણા સમયથી જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓનું જીવવું ઝેર કરી દીધું છે અને રોજે-રોજ થતાં એન્કાઉન્ટરો એક અમનની દિશા જરૂર બતાવી રહ્યા છે.