ભારતે સોમવારે આ નિર્ણય લીધો છે કે તે પોતાના મિત્ર દેશોને સદ્ભાવના સંકેત તરીકે મર્યાદિત સંખ્યામાં કોરોનાની રસીના ડોઝ મોકલશે. ભારત એવું એટલા માટે કરશે જેથી તે દેશોની કેટલીક નજીકની જરુરિયાતો પૂરી થઈ શકે. જે મિત્ર દેશોને કોરોનાની રસીના મર્યાદિત ડોઝ મોકલવામાં આવશે તે છે મંગોલિયા, ઓમાન, મ્યાનમાર, ફિલીપાઈન્સ, બહરિન, માલદ્વીપ અને મોરિશિયસ.
આ દેશઓને ભારત બાયોટેકની કોવેક્સીન મોકલવામાં આવશે. જ્યારે ભૂતાન, સેશેલ્સ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળને સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ રસી આપવામાં આવશે. એક અધિકારીએ જાણકારી આપી હતી કે બન્ને રસી સરકારી આધાર પર સપ્લાય કરવામાં આવશે. પરંતુ આની વસૂલી અને સ્ટોરેજ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
ભારત 20 લાખ ડોઝ બાંગ્લાદેશને મોકલી શકે છે
બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી જાહિદ મલિકે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે બાંગ્લાદેશને ભારત તરફથી ભેટ સ્વરુપે ભારે માત્રામાં રસીના ડોઝ મળવાના છે. ભારત પહેલા ચરણમાં 20 જાન્યુઆરીએ સ્પેશિયલ પ્લેનથી ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા રસી (કોવિશીલ્ડ)ના 20 લાખ ડોઝ બાંગ્લાદેશને મોકલી શકે છે. ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ બનાવી રહી છે. બાંગ્લાદેશમાં કોરોનાના અત્યાર સુધી 5 લાખથી વધારે કેસ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 7 હજાર 900 લોકોના મોત થઈ ચુક્યા છે.
દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત થઈ ચૂકી છે
આ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલય, વિદેશ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ વિભાગ તરફથી બોલાવવામાં આવેલી એક બેઠકમાં અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત થઈ ચૂકી છે અને આના પહેલા દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ 2 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી.
આ રીતે થઈ રહ્યું છે રસીકરણ
કોરોના વેક્સીનેશનના પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લગાવવામાં આવશે અને તે બાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને આ રસી લગાવાશે. દેશમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.