ટી-20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAEમાં થવાની છે. ભારતીય ટીમને ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે. 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટી-20 વર્લ્ડ કપનો મહામુકાબલો રમાશે. ભારતના 4 ખેલાડી એવા છે, જે ભારતને બીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી શકે છે. આ 4 ખેલાડીઓ થોડી મિનિટોમાં મેચની બાજી પલટી શકે છે. આવો નજર નાખીએ 4 ખેલાડીઓ પર...
ટી-20 વર્લ્ડ કપમાં આ હશે ભારતના 4 ખતરનાક ખેલાડી
ભારતને બીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડશે ?
આ ખેલાડીઓ થોડા સમયમાં મેચની બાજી પલટી શકે છે
રોહિત શર્મા
ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતના સૌથી મોટા મેચ વિનર સાબિત થશે. જો રોહિત શર્મા મેચમાં પીચ પર વધુ સમય રહે તો થોડીક ક્ષણોમાં મેચની બાજી પલટી નાખે. અત્યારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કરી રહેલા રોહિત અને કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમ માટે બેટીંગમાં મહત્વના ખેલાડી છે. રોહિતે 111 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 32.54ની સરેરાશથી 2864 રન બનાવ્યાં છે, જેમાં ચાર સદી અને 22 અર્ધસદી સામેલ છે.
વરૂણ ચક્રવર્તી
વરૂણ ચક્રવર્તીને પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ રમવાની તક મળી છે. ભારતની પાસે વરૂણ ચક્રવર્તી એક મિસ્ટ્રી સ્પિનર છે, જે સાત રીતે બોલ ફેંકી શકે છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, પગની આંગળીઓનો યોર્કર સામેલ છે. વરૂણ ચક્રવર્તી ટી-20 વર્લ્ડ કપમાં પ્રતિસ્પર્ધી ટીમો માટે ઘાતક સાબિત થઇ શકે છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધી વરૂણ ચક્રવર્તીએ 3 મેચમાં 2 વિકેટ લીધી છે.
રિષભ પંત
રિષભ પંત પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપમાં રમશે. આક્રમક બેટીંગમાં માહેર રિષભ પંતનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પાક્કુ છે. રિષભ પંત આ સાથે વિકેટ કીપરની પણ જવાબદારી સંભાળશે. રિષભ પંત અગાઉ વર્લ્ડ કપ 2019માં રમ્યા હતા. જેનો તેમને અનુભવ છે.
કેએલ રાહુલ
કેએલ રાહુલને પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. અગાઉ તેમણે ભારતીય ટીમ તરફથી 2019નો વર્લ્ડ કપ પણ રમ્યો છે. રાહુલને ઓપનર તરીકે ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. રાહુલને ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા માટે શિખર ધવનને બહાર કર્યા છે. ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન રાહુલને ભારતના પ્લેઈંગ ઈલેવનમાં રમવાનુ નક્કી છે. રાહુલ અને રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે.