શીખોના પવિત્ર ધામ કરતાપુર ગુરુદ્વારા સાહેબમાં ઉઘાડે માથે ફોટોશૂટ કરાવીને પાકિસ્તાની મોડલે વિવાદ ખડો કર્યો છે. પાકિસ્તાની મોડલના 'ઉઘાડે માથે' ફોટોશૂટથી ભારત બરોબરનું ભડક્યું છે. આ પહેલા પાકિસ્તાની બીજી એક મોડલ સૌલેહાએ પણ કરતાપુર ગુરુદ્વારા સાહેબમાં ફોટોશુટ કરાવવા બદલ માફી માગી હતી.
મોડલના કૃત્ય પર ભારત ભડક્યો, પાક.ઉચ્ચાયુક્તને તેડાવ્યા
કરતારપુર સાહેબ ખાતે પાકિસ્તાની મોડેલની કપડાની બ્રાન્ડના ફોટો શૂટ અંગે ભારતે "ઊંડી ચિંતા" વ્યક્ત કરી છે. આ કેસમાં ભારત સરકારે પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા હતા.
નિંદનીય ઘટના, ભારત અને વિશ્વભરમાં શીખ સમુદાયની ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાની રાજદ્વારીને જણાવ્યું છે કે આ નિંદનીય ઘટનાએ ભારત અને વિશ્વભરમાં શીખ સમુદાયની ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક પૂજાસ્થળોના અપમાન અને અનાદરની આવી વારંવારની ઘટનાઓ આ સમુદાયોના વિશ્વાસ પ્રત્યે આદરના અભાવને પ્રકાશિત કરે છે."
તેમણે કહ્યું કે "અમે અપેક્ષા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારીઓ આ મામલે પ્રામાણિકતાથી તપાસ કરશે અને તેમાં દોષી સામે કાર્યવાહી કરશે."
પાક. મોડલ સોલેહા કરતારપુર સાહેબમાં ફોટોશુટ કરી ચૂકી છે, માફી પણ માગી હતી
આ પહેલા પાકિસ્તાની મોડેલ સોલેહાએ સોશિયલ મીડિયા પર ફોટો શૂટ માટે ટ્રોલ થયા બાદ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોડેલે લખ્યું છે કે, "તાજેતરમાં મેં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જે શૂટ અથવા અન્ય કોઈ વસ્તુનો પણ ભાગ નહોતી. હું હમણાં જ ઇતિહાસ શીખવા અને શીખ સમુદાય વિશે જાણવા માટે કરતારપુર ગયો હતો. મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે આવું કર્યું નથી. મોડેલે તેની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, "જો હું કોઈને ઈજા પહોંચાડું અથવા તેમને લાગે કે હું ત્યાંની સંસ્કૃતિનું સન્માન કરતો નથી તો મને દિલગીર છું. મેં ત્યાં વધુ લોકોને ફોટા પાડતા જોયા અને મેં પણ આવું જ કર્યું.