આફ્રિકી દેશ મિસ્ત્રએ ભારતને ઘઉં સપ્લાયર તરીકે મંજૂરી આપી દીધી છે. મિસ્ત્ર ઘઉંનો બહું મોટો આયાતકાર દેશ છે.
આફ્રિકી દેશ મિસ્ત્રએ ભારત સાથે કરી મોટી ડીલ
ઘઉં સપ્લાયર તરીકે આપી દીધી મંજૂરી
ભારત પાસેથી અધધધ 10 લાખ ટન ઘઉં ખરીદવાની ઈચ્છા
આફ્રિકી દેશ મિસ્ત્રએ ભારતને ઘઉં સપ્લાયર તરીકે મંજૂરી આપી દીધી છે. મિસ્ત્ર ઘઉંનો બહું મોટો આયાતકાર દેશ છે. પણ અત્યાર સુધી તે રશિયા અને યુક્રેન પાસેથી ઘઉં ખરીદતા હતા. જો કે, હવે તેણે ભારતમાંથી ઘઉં ઓર્ડર કરવાનો નિર્ણય લીધો છે. અન્ન નિકાસ મામલે ભારત માટે આ સૌથી સારા સમાચાર છે અને ખાસ કરીને દેશના ખેડૂતો માટે સૌથી વધારે ફાયદાનો સોદો સાબિત થશે. આ વર્ષે મિસ્ત્ર ભારતમાંથી 10 લાખ ટન ઘઉં ખરીદવા માગે છે. હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કહ્યું હતું કે, જો વિશ્વા વેપાર સંગઠન મંજૂરી આપે તો, પોતાની 80 કરોડ વસ્તીને મફત રાશન આપનારો દેશ ભારત દુનિયાનું પેટ ભરવા માટે તૈયાર છે.
અત્યાર સુધી રશિયા અને યુક્રેન પાસેથી ઘઉં ખરીદતા હતા
શુક્રવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીષુય ગોયલે કહ્યું કે, આફ્રિકી દેશ મિસ્ત્રએ ભારતને ઘઉં સપ્લાયર તરીકે મંજૂરી આપી દીધી છે. મિસ્ત્ર, યુક્રેન અને રશિયા પાસેથી ઘઉં ખરીદનારો સૌથી મોટો આયાતકારમાંથી એક છે. પણ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી લડાઈના કારણે વિશ્વ બજારમાં ઘઉંની સપ્લાઈ પર બહું મોટી અસર પડી છે. આ બંને દેશ ઘઉંના સૌથી મોટા ઉપ્તાદક અને સાથે સાથે મુખ્ય નિકાસકાર તરીકે છે. 2020માં મિસ્ત્રએ રશિયા પાસેથી 180 કરોડ ડોલર અને યુક્રેનમાંથી 61.08 કરોડ ડોલરના ઘઉની આયાત કરી હતી.
ભારતના ખેડૂતો દુનિયાને ખવડાવી શકે છે- પીયુષ ગોયલ
આ આફ્રિકી દેશ ભારતમાંથી 10 લાખ ટન ઘઉં ખરીદવા માગે છે, જેમાંથી તેને 2,40,000 ટન ઘઉંની ચાલુ એપ્રિલ માસમાં ખાસ જરૂર છે. પીયુષ ગોયલે તેના વિશે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારતીય ખેડૂતો દિનિયાને ખવડાવી શકે છે. મિસ્ત્રએ ભારતને ઘઉં સપ્લાયરની મંજૂરી આપી દીધી છે. દુનિયા આખી એક વિશ્વસનીય અન્ન સપ્લાયરનો વિકલ્પ શોધી રહી છે. આ બાજૂ મોદી સરકાર તે દિશામાં આગળ વધી રહી છે. આપણા ખેડૂતોએ નક્કી કર્યું છે કે આપણા અન્ન ભંડારો ભરેલા રહે અને દુનિયાને સેવા કરી શકીએ.
ભારતનો સૌથી મોટો સપ્લાયર દેશ છે બાંગ્લાદેશ
ઘઉંની નિકાસમાં દેશે કેટલી પ્રગતિ કરી તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય. એપ્રિલ 2021થી જાન્યુઆરી 2022 સુધી ભારતે 170 કરોડ ડોલરના ઘઉંની નિકાસ કરી હતી. આ જ સમયમાં એક વર્ષ પહેલા ફક્ત 34.017 ડોલરની નિકાસ થઈ હતી. 2019-20માં ભારતે કુલ 6.14 કરોડ ડોલરના ઘઉ બહાર મોકલ્યા હતા. જો વર્ષ 2020--21માં વધીને 54.967 કરોડ ડોલર થઈ ગયું હતું. અત્યાર સુધીમાં ભારતમાંથી સૌથી વધારે ઘઉં પાડોશી દેશ કરે છે. જેમાં માત્રા અને કિંમતના હિસાબે 2020-21માં બાંગ્લાદેશે સૌધી વધારે ખરીદી કરી છે. જે 54 ટકાથી પણ વધારે હતી. 2020-21માં ટોપ 10 દેશમાં બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા, યમન, અફઘાનિસ્તાન, કતર, ઈંડોનેશિયા, ઓમાન અને મલેશિયા જેવા દેશોએ ખરીદી કરી છે.
વાર્ષિક લગભગ 10759 કરોડ ટન ઘઉંનું થાય છે ઉત્પાદન
જો કે, વિશ્વના ઘઉં નિકાસમાં ભારતનું યોગદાન 1 ટકાથી પણ ઓછુ છે. આમ તો ગત વર્ષોમાં સતત વધારો થતો જાય છે. મતલબ 2016માં ઘઉ નિકાસમાં ભારતનો ભાગ ફક્ત 0.14 ટકા હતા, જે 2020માં વધીને 0.54 ટકા થયો છે. આમ જોવા જઈએ તો, જ્યાં સુધી ઉત્પાદનની વાત છે, તો ભારત દુનિયાનો સૌથી બીજા નંબરનો મોટો ઘઉં ઉત્પાદન કરતો દેશ છે. અને 2020માં વિશ્વ ઘઉં ઉત્પાદનમાં તેનો ભાગ લગભગ 14.14 ટકા હતો. ભારતમાં દર વર્ષે લગભગ 10.759 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થાય છે. પણ તેનો એક મોટો ભાગ દેશમાં જ વપરાય જાય છે. દેશમાં સૌથી મોટો ઘઉં ઉત્પાદનવાળા રાજ્યોમાં જોઈએ તો, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાત જેવા રાજ્યોમાં થાય છે.