ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે યુવા હતો ત્યારે બિરયાની અને છોલે ભટૂરે સાથે એને ખૂબલગાવ હતો. પરંતુ એ દિવસો હવે જતા રહ્યા છે અને વિરાટ કોહલીની શાનદાર ફીટનેસ જારી છે. પોતાના ફીટનેસ સ્તરમાં ફેરફાર કરવા માટે વિરાટે થોડાક સમય પહેલા શુદ્ધ શાકાહારી બનવાનો નિર્ણય કર્યો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કેપ્ટને ચાર મહિના પહેલા પશુ પ્રોટીનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો અને એમનું માનવું છે કે એનાથી એની રમતમાં મદદ મળી છે. કોહલીના હાલના ડાયટમાં પ્રોટીન શેક શાક અને સોયા સામેલ છે. એને ઇંડા અને ડેરી પ્રોડક્ટ્સથી અંતર બનાવી લીધું છે.
સૂત્રો પ્રમાણે કોહલીએ ચાર મહિના પહેલાથી જ આ ડાયટ અપનાવ્યું અને એને મહેસૂસ થાય છે કે એનાથી એની પાચનશક્તિ મજબૂત થઇ છે. કોહલીને મટન ઇંડા અને દૂધ ઉત્પાદોની કમી લાગતી નથી. કોહલીના આહારથી એના સ્વભાવ પર એક શાંત પ્રભાવ પડ્યો છે.
કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ હાલ શાકાહારી બની ગઇ છે. પરંતુ કોહલીએ એનાથી પહેલા જ ફેરફારની યોજના બનાવી લીધી હતી. સૂત્રએ કહ્યું કે 'બે વર્શ પહેલા જ્યારે કોહલી સામાન્ય ડાયર પર હતો ત્યારે જ એને કહી દીધું હતું કે જદો વિકલ્પ મળશે તો એ શુદ્ધ શાકાહારી બનવાનું પસંદ કરશે. '