ભારત સરકારે સલામતીને ધ્યાનમાં રાખીને 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય બાદ ચીનનો રોષ વધ્યો છે. આ જ કારણ છે કે ચીન તરફથી નિવેદનબાજી તીવ્ર બની છે.
ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો
પ્રતિબંધ બાદ ચીનની સરકાર ઉંચી નીચી થઈ ગઈ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ જે જવાબ આપ્યો છે જેના બધે વખાણ થઈ રહ્યા છે.
હકીકતમાં ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હુ શીજિને ગુસ્સાના ટોનમાં ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે કહ્યું કે જો ચીનના લોકો ભારતીય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા માંગે, તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી. તેથી ભારતીયોમાં રાષ્ટ્રવાદ કરતા કંઈક બીજુ મહત્ત્વનું હોવું જોઈએ. આ ટ્વીટનો જવાબ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યો છે જેના બધે વખાણ થઈ રહ્યા છે.
આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર સક્રિય એવા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું કે 'મને શંકા નથી કે આ પ્રતિક્રિયા ભારતીય ઉદ્યોગ માટે સૌથી અસરકારક અને પ્રેરણાદાયી હોઈ શકે છે. અમને ઉશ્કેરવા બદલ આભાર, અમે ટૂંક સમયમાં જવાબ આપીશું.
ટિકટોક પ્રતિબંધ અંગે આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
અગાઉ દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટિકેટોક પર પ્રતિબંધ લગાવવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે 'મેં ક્યારેય ટિકટોક ડાઉનલોડ કર્યુ નથી. પરંતુ મેં ચિંગારી ડાઉનલોડ કર્યુ છે. તમને વધારે તાકાત મળે. ઉલ્લેખનીય કે સ્વદેશી ચિંગારી એપને ટિકિટોકના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી તેને ઝડપથી ડાઉનલોડ કરવામાં આવી છે.
I suspect this comment might well be the most effective & motivating rallying cry that India Inc. has ever received. Thank you for the provocation. We will rise to the occasion...🙏🏽 https://t.co/LZbQhS8xVW
તાજેતરમાં ગલવાન ખીણમાં ચીનની હરકતને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ ઘટનામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું હતુ. ત્યારથી ચીન અને ચીનમાં બનેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ તીવ્ર બની છે.
આ અભિયાનને સરકાર દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. આ જ કારણ છે કે સરકારે ચીનના રોકાણને રોકવા માટે ઘણા કરાર રદ કર્યા છે. તેથી કેટલાક નિયમો પણ બદલાયા છે. હવે છેલ્લો કિસ્સો 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો છે. જેમાં ટિકટોક સિવાય યુસી બ્રાઉઝર સહિત ઘણી લોકપ્રિય એપ્સ છે.