ચીનના સૈનિકોએ એકવાર ફરી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ આ પ્રયત્નને નિષ્ફળ બનાવી દીધો છે. આ દરમિયાન ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે મેના પહેલા અઠવાડિયામાં ચીનની સેના ગાલવાન નદી તરફથી ભારત તરફ આગળ વધી રહી હતી, ત્યારે ભારતીય સેના એલર્ટ થઇ ગઇ હતી અને સૈનિકોની તૈનાતી વધારી દીધી હતી.
સરહદી વિસ્તારોમાં ભારતના રોડ નિર્માણને લઇને ચીનને છે વાંધો
એક મળતાં અહેવાલ મુજબ ચીનની સેનાનો હેતુ ભારતિય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો અને કેમ્પ બનાવાનો હતો, પરંતુ ભારતીય સેનાની આગળે ડ્રેગનની ચાલ ફરી એકવાર નિષ્ફળ ગઇ હતી. ભારતીય સેનાએ પોતાની સંખ્યા વધારીને તૈનાત કરી દીધી અને ચીના સૈનિકોની અવરજવર રોકી દીધી.
સૂત્રો પાસેથી મળતી જાણકારી ચીનના સૈનિકોનો પ્લાન ગાલવાન પોઇન્ટ નજીક રોડ બનાવાનો હતો. આ રોડના કારણે ભારતીય સેના ગાલવાન ઘાટી વિસ્તારમાં આવનજાવન આસાનીથી કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર સરહદ નજીક ભારતીય વિસ્તારમાં 2-3 વર્ષથી રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને ચીનને ખતરાનો અહેસાસ થઇ રહ્યો છે. ચીનની સેનાના આ ઘૂસણખોરીનો પ્રયાસ તેનું જ પરિણામ છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યાં ભારત રોડ નિર્માણ કરી રહ્યું છે, તે વિસ્તારોમાં ચીનના હેલિકોપ્ટર પણ ઉડતા જોવા મળ્યાં છે. સરહદી આ વિસ્તારમાં ભારતના રોડ નિર્માણ પર વિવાદ ઉભો કરવાના હેતુથી ચીન પોતાના હેલિકોપ્ટરને મોકલતું આવ્યું છે. જો કે ચીનના આ પગલાને લઇને ભારત કડક વિરોધ દર્શાવી ચૂક્યું છે.