ભારતીય ટીમ 9 ડિસેમ્બરે દક્ષિણ આફ્રીકાની યાત્રા પર જવાની હતી.
ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર વિચારણા
લેવાઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
ઓમિક્રોન વેરિએન્ટના કારણે રદ્દ થઈ શકે પ્રવાસ
ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રીકાના આગામી પ્રવાસને કથિત રીતે એક અઠવાડિયા માટે ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રીકામાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ના આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા એ વાતની જાણકારી મળી હતી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રીકા પ્રવાસ માટે ટીમ પસંદગીની પ્રક્રિયાને રોકી દીધી છે. કારણ કે તે ભારત સરકારની પાસેથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જોકે હાલ બોર્ડની તરફથી આ મામલામાં પુષ્ટિ નથી કરવામાં આવી.
India tour of SA might be pushed back by one week amid Omicron scare
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈને અત્યાર સુધી સરકારે પરવાનગી નથી આપી અને ખતરાને જોતા આ પ્રવાસને એક અઠવાડિયા સુધી ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા મીડિયો રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી બેઠક કાનપુર ટેસ્ટના સમાપન વખત થશે.
જ્યારે ખેલાડીઓને ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ ચાલી રહેલી 2 મેચોની ટેસ્ટ સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો. તેમને દક્ષિણ આફ્રીકાને લઈને ટ્રાવેલ કર્યા પહેલા 8 દિવસના ક્વોરન્ટાઈનમાં રહેવાનું હતું, પરંતુ હજું સુધી ખેલાડીઓને તે માટે કોઈ સુચન આપવામાં નથી આવ્યું.
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ અને ક્રિકેટ દક્ષિણ આફ્રીકા આ પ્રવાસને ફરી શેડ્યુલ કરી શકે છે. એવામાં બીસીસીઆઈ પણ એવું જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે શું ત્રણ ટેસ્ટ મેચોને ઘટાડીને તેને બે કરી દેવામાં આવી શકે છે. જેથી ભારતીય ટીમને ઉડાન ભર્યા પહેલા અમુક વધુ સમય મળી શકે. તેના પર ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેવાની સંભાવના છે.
ગાંગુલીએ આપ્યું હતું આવું નિવેદન
આ ખબર આવ્યા પહેલા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે જણાવ્યું હતું કે હાલ સાઉથ આફ્રીકા પ્રવાસનો નિર્ણય ટળ્યો નથી. અમારી પાસે નિર્ણય કરવા માટે ઘણો સમય છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના નવા વેરિએન્ટની સામે જે પણ સ્થિતિ છે તેના પર અમારૂ ધ્યાન છે.
ગાંગુલીએ એમ પણ જણાવ્યું હતું કે હાલ જે સ્થિતિ છે તેને જોતા પ્રવાસ થાય તેની સંભાવનાઓ છે. હવે આ વચ્ચે વાયરસે વધુ દેશોને પોતાની ઝપટમાં લીધા છે.