ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર 2013 બાદ ભારતને વિકેટ મામલે સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. 2013 ડર્બન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમને 10 વિકેટથી હરાવી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી ભારતની શરમજનક હાર
પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલની ગેરહાજરી પડી ભારે
ઓપનિંગની પોલ ખુલી
ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ ઓર્ડર ફરી એકવાર ફ્લોપ થઈ ગયો, જેના કારણે ટોપ ઓર્ડરની પોલ ખુલ્લી પડી ગઈ છે. સાથે જ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલને ટેસ્ટ ટીમમાં સામેલ ન કરવું ભારતીય ટીમને સૌથી વધુ ભારે પડ્યું છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલની બિનઅનુભવી જોડી નિષ્ફળ ગયા બાદ મિડલ ઓર્ડર પર દબાણ વધી રહ્યો છે.
પૃથ્વી શો અને મયંક અગ્રવાલે વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 16 રનની ભાગીદારી કરી હતી. જ્યારે, બીજી ઇનિંગ્સમાં પણ આ બંને ફક્ત 27 રન જ બનાવી શક્યા. ઓરનિંગ જોડી ફ્લોપ થવા પર મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી પર દબાણ વધ્યું, જેના કારણે આ દિગ્ગજ ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યાં.
*Prithvi Shaw getting out today with poor technique and footwork*
Twitter experts : It's just his 3rd test.
*gets out with same technique, footwork again*
Twitter experts : Come on it's just his 15th test. Impatient Indian fans.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં કોઈ અનુભવી ઓપનર નથી. ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા અને કેએલ રાહુલને સામેલ કરાયા નહોતા. રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ સીરિઝમાંથી બહાર છે. જો કેએલ રાહુલ ટેસ્ટ ટીમમાં હોત તો અનુભવી ઓપનર રમવાથી ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવવામાં મદદ મળતી.
કેએલ રાહુલે તાજેતરમાં રમાયેલી ટી-20 સીરિઝમાં રનનો વરસાદ કર્યો હતો. ઈનફોર્મ બેટ્સમેન લોકેશ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી20 સીરિઝમાં કુલ 224 રન બનાવ્યા અને 'મેન ઓફ ધ સીરિઝ' એવોર્ડ જીત્યો. રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝમાં 56, અણનમ 57, 27, 39 અને 45 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની આ સીરિઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવવા ઉપરાંત રાહુલે ટીમમાં 5-૦થી જીત સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં બે અર્ધસદીની મદદથી 224 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે ગયા વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝમાં છેલ્લી ટેસ્ટ રમી હતી, ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલે વનડે અને ટી 20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં રાહુલે 16 વન ડેમાં 47.86ની સરેરાશથી 718 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને 4 અર્ધસદીનો સમાવેશ છે.
પૃથ્વી શો થયો ફ્લોપ
પૃથ્વી શો વિશે વાત કરીએ તો બીજી ટેસ્ટ મેચમાં તેને સ્થાન નહીં મળે. પૃથ્વી શોએ વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 16 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે 14 રને આઉટ થયો હતો. મયંક અગ્રવાલ તેમ છતાં તેમનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો. અગ્રવાલે બીજી ઇનિંગમાં 58 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પૃથ્વી શોના અસફળ પ્રદર્શન બાદ ચાહકો નાખુશ છે. ચાહકોએ ટ્વિટર પર વિરાટ કોહલીને માંગ કરી છે કે બીજી ટેસ્ટ મેચમાં પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે.