ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીની બે મેચ પહેલાંના મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરી રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની સ્થિતિ થોડી ખરાબ છે. બધા દિગ્ગજ બેટ્સમેન ફ્લોપ રહ્યાં. જેમાંથી એક છે ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે. હવે ટીમમાં તેમના ડ્રોપ થવાના ચાન્સ વધુ લાગી રહ્યાં છે.
રહાણેએ બીજી ઈનિંગમાં ફક્ત 15 બોલમાં 4 રન બનાવી થયા આઉટ
તો શું રહાણે આગામી ટેસ્ટ મેચમાં થશે ડ્રોપ?
તો શું રહાણે આગામી મેચમાં થશે ડ્રોપ?
કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની સ્થિતિ થોડી વિકટ છે. એક સમયે ભારત આ મેચને સરળતાથી જીતવા તરફ આગળ વધી રહ્યું હતુ. પરંતુ ચોથા દિવસે ન્યુઝીલેન્ડના બોલરોએ ભારતની બીજી ઈનિંગમાં 5 વિકેટ ખેરવી માત્ર 50 રન આપ્યાં. બધા દિગ્ગજ બેટ્સમેન ફરી એક વખત ફ્લોપ રહ્યાં. આ મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણે પાસેથી આશા હતી કે તેઓ ટીમ માટે સારું રમશે. પરંતુ અજિંક્ય રહાણેએ પ્રથમ ઈનિંગમાં ફક્ત 35 રન બનાવી બીજી ઈનિંગમાં ફક્ત 15 બોલમાં 4 રન બનાવી આઉટ થયા. રહાણે છેલ્લાં કેટલાંક સમયથી ટેસ્ટ ટીમની સૌથી મોટી નબળાઈ બની ગયા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેઓ ભારતીય ટીમ માટે સૌથી ખરાબ પ્રદર્શન કરનારા બેટ્સમેન હતા. આગામી મેચમાં કોહલીની વાપસી થઇ રહી છે. એવામાં આ દિગ્ગજ બેટ્સેનનું ડ્રોપ થવુ લગભગ નક્કી છે.
હવે બચવુ ખૂબ મુશ્કેલ
પસંદગીકારો રહાણેને લગભગ દરેક ટેસ્ટ શ્રેણીમાં રમવાની તક આપે છે. વન-ડે અને ટી-20માં તેમના પ્રદર્શનને એવોઈડ કરી શકાય છે. પરંતુ હવે તેઓ ટેસ્ટ મેચોમાં પણ ધારદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે. જેને જોઈને લાગે છે કે રહાણેની કારકિર્દી હવે ખત્મ થવાના આરે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે પણ રહાણે સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યાં હતા. અજિંક્ય રહાણે અત્યારે પોતાની કારકિર્દીના સૌથી ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહ્યાં છે.
આ ખેલાડી બનશે વાઈસ કેપ્ટન?
અજિંક્ય રહાણેને જો આગામી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરી દેવામાં આવે છે તો ભારતીય ટીમને એક નવા વાઈસ કેપ્ટનની જરૂર પડશે. આમ તો આ પદ રોહિત શર્માને મળી શકે છે. પરંતુ આગામી મેચમાં કેએલ રાહુલ અને રોહિતની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને પ્રથમ વખત ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરી શકાય છે.